ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશઃ કાર લોક થઈ જતાં ગૂંગળામણને કારણે 3 બાળકોના મોત

author img

By

Published : Aug 6, 2020, 10:38 PM IST

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કારમાં ગૂંગળામણ થતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં છે.

andhra pradesh news
andhra pradesh news

અમરાવતી: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં કારમાં ગૂંગળામણ થતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં છે. બાળકો ઘરની સામે રોડ પર રમી રહ્યાં હતા. તેઓ રમતી વખતે કારમાં ગયા હતા. ત્યારબાદ અચાનક કાર લોક થઈ ગઈ હતી અને બાળકો કારની અંદર ફસાઈ ગયા હતા. બાદમાં ગૂંગળામણને કારણે બાળકોના મોત નીપજ્યાં હતાં.

આ ઘટના કૃષ્ણા જિલ્લાના રીમલ ગામની છે. થોડા મહિના પહેલા તમિલનાડુના કલ્લકુરિચી જિલ્લાના તિરુકોવિલુરમાં કારમાં ગૂંગળામણ થવાને કારણે બે બાળકોના મોત નીપજ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.