ETV Bharat / bharat

નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખવા બદલ અમરાવતીમાં દુકાન માલિકની હત્યા!

author img

By

Published : Jul 2, 2022, 2:10 PM IST

Updated : Jul 2, 2022, 5:03 PM IST

BEFORE UDAIPUR KANHAIYALAL MURDER FOR SUPPORT OF NUPUR SHARMA AMRAVATI MEDICAL SHOP OWNER MURDER PSR
BEFORE UDAIPUR KANHAIYALAL MURDER FOR SUPPORT OF NUPUR SHARMA AMRAVATI MEDICAL SHOP OWNER MURDER PSR

ઉદયપુર પહેલા અમરાવતીમાં એક દુકાન માલિકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં નૂપુર શર્માના (Former BJP spokesperson Nupur Sharma) સમર્થનમાં પોસ્ટ લખીને આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હત્યા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 21 જૂનના રોજ કરવામાં આવી હતી. જોકે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સમગ્ર તપાસ NIA કરી શકે તેમ છે.

અમરાવતી: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા એટલે કે 21 જૂને મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં એક 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કેમિસ્ટએ સોશ્યિલ મીડિયા પર પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરનાર નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી. મામલાની માહિતી મળ્યા બાદ, પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ નુપુર શર્માનો (Former BJP spokesperson Nupur Sharma) દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

નુપુર શર્મા

NIA હત્યાની તપાસ કરી શકે છે : NIA ઉમેશ હત્યા કેસની તપાસ કરી શકે છે. હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ અમરાવતી પહોંચી ગઈ છે. આ બાદ NIAની ટીમે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી એકઠી કરી હતી. આ ટીમ હત્યાની તપાસ કરે તેવી શક્યતા છે. બીજી તરફ ઉમેશની હત્યાની તપાસમાં મહારાષ્ટ્ર ATSની ટીમ પણ કરી રહી છે. ATS સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ આ કેસમાં કોઈ આતંકવાદી એંગલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. ATS એ પણ તપાસ કરી રહી છે કે, શું અમરાવતીના આરોપીઓએ ઉદયપુરના આરોપીઓની જેમ જ પેટર્નનો ઉપયોગ કર્યો છે કે કેમ, તે પણ તપાસ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હી પોલીસ એક્શનમાં, કરી આ સ્પષ્ટતા

નુપુર શર્માએ મોહમ્મદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી : આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ હવે માને છે કે, કોલ્હેની હત્યા એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે કરવામાં આવી હતી જે કથિત રીતે ભાજપની નુપુર શર્માને સમર્થન આપે છે, જેમણે ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ઉમેશ કોહલીના પુત્ર સંકેત કોહલેની ફરિયાદ બાદ, અમરાવતીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં 23 જૂને બે વ્યક્તિઓ, મુદસ્સીર અહેમદ અને 25 વર્ષીય શાહરૂખ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.

સંકેતે પોલીસને તેની ફરિયાદમાં જણાવ્યું : પૂછપરછમાં વધુ ચાર લોકોની સંડોવણી બહાર આવી હતી. જેમાંથી ત્રણ એટલે કે, અબ્દુલ તૌફિક (24), શોએબ ખાન (22) અને અતિબ રાશિદ (22)ની 25 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય શમીમ અહેમદ ફરાર છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ઘટના 21 જૂને રાત્રે 10 થી 10.30 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે ઉમેશ કોલ્હે પોતાની દુકાન 'અમિત મેડિકલ સ્ટોર' બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. 27 વર્ષીય સંકેત અને તેની પત્ની વૈષ્ણવી તેની સાથે બીજા સ્કૂટર પર હતા. સંકેતે પોલીસને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારું સ્કૂટર મહિલા કોલેજ ન્યૂ હાઈસ્કૂલના ગેટ પાસે પહોંચ્યું હતું. મારા પિતાની સ્કૂટી સામે એક મોટરસાઇકલ પર આવેલા બે માણસો અચાનક આવી ગયા હતા.

વચ્ચેના રસ્તા પર હુમલો કર્યો હતો : તેઓએ મારા પિતાની બાઇક રોકી હતી અને તેમાંથી એકે તેમના ગળાની ડાબી બાજુએ છરી વડે હુમલો કર્યો હતો. મારા પિતા પડી ગયા અને લોહી વહેવા લાગ્યું હતું. મેં મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડી હતી. અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરસાયકલ પર સ્થળ પરથી ભાગી ગયા હતા. આસપાસના લોકોની મદદથી, કોલ્હેને નજીકની એક્સોન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. અમરાવતી શહેર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "અત્યાર સુધી ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓએ અમને જણાવ્યું છે કે તેઓએ અન્ય આરોપીની મદદ લીધી હતી, જેમણે તેમને ભાગી જવા માટે કાર અને 10,000 રૂપિયા આપ્યા હતા."

આ પણ વાંચો: નુપુર શર્માનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર: સુપ્રીમ કોર્ટ

નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવામાં આવી છે : અધિકારીએ કહ્યું કે, ફરાર આરોપીઓમાંથી એકે હત્યા માટે અન્ય પાંચ ચોક્કસ કાર્યો સોંપ્યા હતા. તેણે તેમાંથી બેને કોલ્હા પર નજર રાખવા અને અન્ય ત્રણને જ્યારે તેઓ મેડિકલ સ્ટોરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને ચેતવણી આપવા કહ્યું હતું. અન્ય ત્રણે કોલ્હેને રોકીને માર માર્યો હતો. સંકેતની ફરિયાદ બાદ સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. “તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે કોલ્હેએ નૂપુર શર્માને સમર્થન આપતી વોટ્સએપ પર સોશિયલ મીડિયા પોસ્ટ સર્ક્યુલેટ કરી હતી. ભૂલથી, તેણે મુસ્લિમ સભ્યો સાથેના જૂથ પર સંદેશ પોસ્ટ કરી દીધો, જે તેના ગ્રાહક પણ હતા. ધરપકડ કરાયેલા એક આરોપીએ કહ્યું કે, તે પ્રોફેટનું અપમાન છે અને તેથી તેને મરવું જોઈએ.

Last Updated :Jul 2, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.