ETV Bharat / bharat

Bajrang Dal activist Murdered : બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શાળા-કોલેજ બંધનો નિર્ણય, શહેરમાં 144 લાગુ કરાઈ

author img

By

Published : Feb 21, 2022, 11:53 AM IST

Bajrang Dal activist Murdered
Bajrang Dal activist Murdered

કર્ણાટકના શિવમોગ્ગામાં બજરંગ દળના કાર્યકરની હત્યા (Bajrang Dal activist Murdered) કરવામાં આવી છે, જે બાદ શિવમોગ્ગામાં તણાવની સ્થિતિ છે. અહીં પોલીસે કલમ 144 લગાવી દીધી છે અને શાળા, કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.

શિવમોગ્ગા, કર્ણાટક: હિજાબ વિવાદ (Hijab controversy Karnataka) વચ્ચે બજરંગ દળના કાર્યકરની હત્યાનો મામલો હવે વેગ પકડી રહ્યો છે (Bajrang Dal Activist Killed in shivamogga). આ ઘટના શિવમોગ્ગા શહેરની છે, જ્યાં એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં (Bajrang Dal activist Murdered) આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જે 23 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.

આ પણ વાંચો : હિજાબ વિવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થિનીઓને કોલેજે આપી સસ્પેન્ડ કરવાની ધમકી

હત્યા પાછળ ક્યું છે સંગઠન

રાજ્યના ગૃહપ્રધાન અરગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે, 'યુવા (બજરંગ દળ કાર્યકર હર્ષ)ની 4-5 યુવકોના જૂથે હત્યા કરી હતી. મને ખબર નથી કે આ હત્યા પાછળ કોઈ સંગઠન છે કે કેમ, શિવમોગ્ગામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અંકુશમાં લેવા માટે સાવચેતીના પગલા તરીકે શહેરની હદમાં આવેલી શાળાઓ અને કોલેજોને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ પ્રધાન ઈશ્વરપ્પાએ કહ્યું કે, એક ખાસ ધર્મના ગુંડાઓએ આ હત્યા કરી છે.

પોલીસ, RAF તૈનાત કરવામાં આવી

શિવમોગ્ગા જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર ડૉ. સેલ્વમણી આરએ કહ્યું કે, પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ, RAF તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બનાવની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : સુપર મોડલ બેલા હદીદે હિજાબ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું....

હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન

આ હત્યાકાંડ બાદ, ઘણા હિન્દુ સંગઠનોએ (Several Hindu Organization) શિવમોગ્ગા સ્થિત મેકગન હોસ્પિટલની સામે વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ દરમિયાન શિવમોગ્ગા શહેરના સિગેહટ્ટી વિસ્તારમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. શિવમોગ્ગામાં સુરક્ષા સઘન કરવામાં આવી છે અને વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શિવમોગ્ગામાં તણાવ વધી ગયો છે. હત્યા બાદ અનેક કામદારો હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાનો વિરોધ કરવા લાગ્યા હતા. વધતા તણાવને જોતા સમગ્ર શિવમોગ્ગામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે જ શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.