ETV Bharat / bharat

Ayushman Bhava programme : પીએમ મોદીના જન્મદિવસે 'આયુષ્માન ભવ કાર્યક્રમ' શરૂ થશેઃ મનસુખ માંડવિયા

author img

By ANI

Published : Sep 11, 2023, 3:20 PM IST

Etv Bharat
Etv Bharat

કેન્દ્ર સરકાર આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરશે. તેનો ઉદ્દેશ્ય શક્ય તેટલા વધુ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો છે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરશે. આનાથી દરેક ઇચ્છિત લાભાર્થીને રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી તમામ આરોગ્ય યોજનાઓનું મહત્તમ વિતરણ સુનિશ્ચિત થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી હતી.

આયુષ્યમાન ભવ કાર્યક્રમ શરુ કરાશે : માંડવિયાએ કહ્યું કે, 'આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર, અમે છેવાડાના લોકો સહિત દરેક હેતુસર લાભાર્થી સુધી તમામ રાજ્ય સંચાલિત સ્વાસ્થ્ય યોજનાઓની મહત્તમ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે 'આયુષ્માન ભવ' કાર્યક્રમ શરૂ કરીશું. આ કાર્યક્રમ દરમિયાન શિબિરોનું આયોજન કરવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. માંડવિયાએ વધુંમાં જણાવ્યું કે, 'કેમ્પ લગાવવામાં આવશે. આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓ અને કાર્યક્રમોના વધુ સારા સંતૃપ્તિ માટે અમે આ કાર્યક્રમને વધુ ચલાવીશું. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે જે પ્રતિ લાભાર્થી પરિવાર દીઠ રૂપિયા 5 લાખનું આરોગ્ય કવરેજ પ્રદાન કરે છે.

60,000 લોકોને કાર્ડ અપાશે : માંડવિયાએ વધુમાં કહ્યું કે, ગયા વર્ષે તમે જોયું જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમે ક્ષય રોગ (ટીબી)ના મુદ્દા પર ભાર મૂક્યો હતો. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ક્ષય રોગ (ટીબી) નાબૂદ કરવાનું વિશ્વનું લક્ષ્ય 2030 છે પરંતુ ભારતનું લક્ષ્ય 2025 ના અંત સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું છે. ગયા વર્ષે લગભગ 70,000 લોકો ની-ક્ષય મિત્ર બન્યા અને ટીબીના દર્દીઓને દત્તક લીધા જે હવે વધીને એક લાખ થઈ ગયા છે.

2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન : દર મહિને પોષક તત્વોની કીટ આપવામાં આવી રહી છે અને તે દર્દીઓને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે. 'અમને વિશ્વાસ છે કે જનભાગીદારીની મદદથી દેશમાંથી ટીબી નાબૂદ થઈ જશે. અગાઉ 2022 માં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ દેશને ક્ષય રોગ (ટીબી) મુક્ત બનાવવા માટે એક વર્ષનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે હેઠળ દરેક વ્યક્તિ ટીબીના દર્દીને દત્તક લેશે અને એક વર્ષ સુધી તેની સંભાળ લેશે. ક્ષય રોગના દર્દીને એક વર્ષ માટે દત્તક લેવાની યોજનાનું આયોજન પીએમ મોદીના 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના વિઝનને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો, જે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું એક નાનું શહેર છે.

  1. Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબોસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે
  2. India-Saudi Arabia: PM મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા પર ચર્ચા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.