ETV Bharat / bharat

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કેસરીયો જાદૂ છવાયો, યોગી આદિત્યનાથ સહિતના ભાજપના સ્ટાર પ્રચારકોની સફળતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 2:27 PM IST

વિધાનસભા ચૂંટણી 2023 પરિણામોને લઇ તારણ કાઢવામાં આવી રહ્યું છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથ, નાયબ સીએમ બ્રિજેશ પાઠક અને કેશવપ્રસાદ મૌર્યએ સ્ટાર પ્રચારક તરીકે ક્સોટી પાર પાડી છે. તેઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢ ચૂંટણીપ્રચારમાં ગયાં હતાં. ત્રણેય રાજ્યોમાં સીએમ યોગી આદિત્યનાથની જબરદસ્ત માંગ હતી.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કેસરીયો જાદૂ છવાયો, યોગી આદિત્યનાથ સહિતના ભાજપના સ્ટાર પ્રચારકોની સફળતા
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કેસરીયો જાદૂ છવાયો, યોગી આદિત્યનાથ સહિતના ભાજપના સ્ટાર પ્રચારકોની સફળતા

લખનઉ : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામ વલણોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનથી યુપી ભાજપના વરિષ્ઠ નેતાઓ ખુશ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. બીજીતરફ તેલંગાણામાં ભાજપનું પ્રદર્શન ગત વખત કરતા ઘણું સારું રહ્યું છે. મુખ્યત્વે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સ્ટાર પ્રચારક તરીકે આ રાજ્યોમાં ગયાં હતાં.

ભાજપના સ્ટાર પ્રચારકોની સફળતા : રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે યોગીનો જાદૂ ચરમસીમાએ હતો. વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં યોગી આદિત્યનાથ રાજ્યવર્ધનસિંહ રાઠોડને જોતવાડાના લોકોના દિલ પર રાજ કરવા અને રાજખેડા, બારી, ધોલપુર અને બસેરીમાં કમળ ખીલવવા રાજસ્થાન પહોંચ્યા સ્ટાર પ્રચારક તરીકે ગયાં હતાં. યોગી જ્યારે પ્રચાર માટે રાજસ્થાન પહોંચ્યાં ત્યારે ઘણી જગ્યાએ બુલડોઝર પણ જોવા મળ્યાં હતાં.

યોગીએ તેલંગાણા માફિયાઓ પર બુલડોઝર ચલાવવાનો દાવો કરેલો : યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેલંગાણા ચૂંટણી પ્રચારમાં રોડ શો અને સભાઓ કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે કુથબુલ્લાપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુના શ્રીસિલમ ગૌર માટે જનતાના સમર્થનને મતમાં બદલવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેલંગાણાને માફિયા મુક્ત બનાવવો જોઈએ. જમીન અને રેતી માફિયાઓના ગેરકાયદે સામ્રાજ્ય પર યુપીનું બુલડોઝર હુમલો કરશે.

કેશવ પ્રસાદ મૌર્યએ પછાત લોકોના દિલ જીતી લીધા હતાં : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખાસ કરીને જ્ઞાતિ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વતી નાયબ સીએમ બ્રિજેશ પાઠક ઉત્તર પ્રદેશમાંથી બ્રાહ્મણ ચહેરા તરીકે સાથે ગયાં હતાં. તેમણે ખાસ કરીને બ્રાહ્મણોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં જાહેર સભાઓ યોજી હતી. બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યનો ઉપયોગ પછાત વર્ગના પ્રભુત્વવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર પછાત વર્ગના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. યોગી સ્ટાર પ્રચારક તરીકે બોલાવવામાં આવતાં છત્તીસગઢ પણ ગયા હતા.

યોગી આદિત્યનાથ બધે હોટ ફેવરિટ હતાં : ત્યારે એક રીતે ભારતીય જનતા પાર્ટીને છત્તીસગઢમાં જબરદસ્ત લીડ મળી રહી છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની આ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે માંગ હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પરિણામો મળ્યા છે અને ભાજપને જંગી લીડ મળી રહી છે. છત્તીસગઢમાં સીએમ યોગી આદિત્યનાથની અડધો ડઝન જેટલી બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યએ પણ અનેક સભાઓ કરીને ભાજપની તરફદારી જમાવતું વાતાવરણ ઊભું કર્યું હતું.

  1. ચાર રાજ્યમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને પાટીલે આપ્યું રિએક્શન
  2. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 LIVE : ચોથા રાઉન્ડની મતગણતરી બાદ પાટણ સીટ પર સીએમ ભૂપેશ બઘેલ આગળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.