ETV Bharat / bharat

Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો

author img

By

Published : Feb 7, 2022, 7:11 PM IST

ઓવૈસીની કાર પર ફાયરિંગ (Owaisi Car Firing) મામલે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ઓવૈસી સાથે જે જિલ્લામાં આ ઘટના બની છે, તેમનો કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો. શાહે ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારવાની પણ અપીલ કરી હતી.

Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો
Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો

નવી દિલ્હીઃ ઓવૈસીની કાર ફાયરિંગ (Owaisi Car Firing) મામલે ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં નિવેદન આપ્યું છે. રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ઓવૈસીનો કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો. તેમણે ઓવૈસીને કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી ઝેડ શ્રેણીની સુરક્ષા (Z security to owaisi) સ્વીકારવાની પણ અપીલ કરી હતી. ગૃહપ્રધાને કહ્યું (Amit shah on Owaisi Car Firing) કે, ઓવૈસી દ્વારા મોકલવામાં આવેલી મૌખિક માહિતી મુજબ ઓવૈસીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. શાહે અપીલ કરી કે 'હું ગૃહ દ્વારા શ્રી ઓવૈસીને તાત્કાલિક સુરક્ષા લેવા અને આપણા બધાની ચિંતાઓને દૂર કરવા વિનંતી કરવા માંગુ છું.'

  • Today in the parliament, HM Amit Shah asked me to accept Z category security. I want to say to him that value of my life is not more than 22 people who died during CAA protest. I don't like people with arms around me, I'm a free bird, want to live freely:AIMIM MP Asaduddin Owaisi pic.twitter.com/lPnhD12xk3

    — ANI (@ANI) February 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કિથોરમાં જનસંપર્ક કાર્યક્રમ

શાહે કહ્યું, 3 ફેબ્રુઆરીએ સાંજે 5.20 વાગ્યે, લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી યુપીના મેરઠ જિલ્લાના કિથોરમાં જનસંપર્ક કાર્યક્રમ પછી દિલ્હી પરત ફરી રહ્યા હતા. તેમનો કાફલો નેશનલ હાઈવે નંબર 9 પર છિઝરસી ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બે અજાણ્યા લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. શાહે કહ્યું કે, જે જગ્યાએ ઓવૈસીની કાર પર ફાયરિંગની ઘટના બની હતી, આ વિસ્તાર હાપુડ જિલ્લાના પિલખુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

  • The threat to Owaisi has been reassessed and a bulletproof vehicle and Z category security has been given to him. But, as per verbal info by himself, he has refused to accept it. I request him to accept the security given to him by the Central govt: Union Home Minister Amit Shah pic.twitter.com/legNpUcVz0

    — ANI (@ANI) February 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફાયરિંગના કેસની તપાસ

અમિત શાહે કહ્યું કે, ઓવૈસીના વાહનના નીચેના ભાગમાં ત્રણ ગોળીઓના નિશાન દેખાડવામાં આવ્યા છે. ત્રણ સાક્ષીઓએ પોતે આ ઘટના જોઈ હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, યુપી પોલીસે આ મામલે FIR નોંધી છે. તેમણે કહ્યું કે, યુપી પોલીસ ઓવૈસીની કાર પર ફાયરિંગના કેસની તપાસ કરી રહી છે.

કોઈ પૂર્વનિર્ધારિત શેડ્યૂલ નથી

ઓવૈસીની મુલાકાત અંગે શાહે કહ્યું કે, ઓવૈસીનું હાપુડમાં શેડ્યુલ અગાઉથી નક્કી નહોતું. તેમણે કહ્યું કે, ઓવૈસીએ ટ્રાફિક વિશે પણ જિલ્લા કંટ્રોલ રૂમને કોઈ માહિતી આપી નથી. શાહે કહ્યું, ફાયરિંગ કર્યા બાદ ઓવૈસી સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા. તેમણે કહ્યું કે, સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે લોકોની ધરપકડ કરી, બે ગેરકાયદેસર પિસ્તોલ અને એક અલ્ટો કાર જપ્ત કરી.

આ પણ વાંચો: LIVE UPDATE :રાષ્ટ્ર કોઇ સરકારની વ્યવસ્થા નથી: વડાપ્રઘાન

ઓવૈસીને Z શ્રેણીની સુરક્ષા

તેમણે કહ્યું કે, ભૂતકાળમાં અનેક પ્રસંગોએ કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ભયના મૂલ્યાંકનના આધારે ઓવૈસીને સુરક્ષા આપવા માટે સૂચનાઓ જારી કરી છે. શાહે કહ્યું કે, ઓવૈસીએ સુરક્ષા મેળવવાની અનિચ્છા વ્યક્ત કરી, જેના કારણે દિલ્હી પોલીસ અને તેલંગાણા પોલીસ દ્વારા તેમને સુરક્ષા આપવાના પ્રયાસો સફળ થયા ન હતા. શાહે કહ્યું કે, ઓવૈસીને મળેલી ધમકીનું પુન: મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મૂલ્યાંકનના આધારે ઓવૈસીને Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ઓવૈસીને દિલ્હીમાં બુલેટ પ્રુફ કાર આપવામાં આવશે. આ ઉપરાંત અખિલ ભારતીય સ્તરે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

સંસદમાં ઓવૈસીનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, કાર પર ફાયરિંગના મામલામાં AIMIM સાંસદ ઓવૈસીએ લોકસભામાં યુપીના મેરઠમાં તેમની કાર પર ફાયરિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે, તેને Z શ્રેણીની સુરક્ષા જોઈતી નથી. ઓવૈસીના નિવેદન સમયે લોકસભામાં હાજર કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે સંસદમાં આ અંગે નિવેદન આપશે.

આ પણ વાંચો: Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

ઓવૈસીના વાહન પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ

જણાવી દઈએ કે 3 ફેબ્રુઆરીના રોજ ઓવૈસી યુપીમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેરઠમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ (owaisi vehicle bullets firing) કરવામાં આવ્યું હતું. યુપીના કિથોરમાં છિજારસી ટોલ પ્લાઝા પાસે બે લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.