ETV Bharat / bharat

Another Complaint filed against Kangana Ranaut: કંગના રણૌત સામે ફરી દાખલ થઈ ફરિયાદ, જાણો હવે શું કરી બબાલ

author img

By

Published : Jan 1, 2022, 3:22 PM IST

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત બેફામ અને બેજવાબદાર નિવેદનથી (Kangana Ranaut's blatant statement) હંમેશા મુશ્કેલીમાં સપડાતી હોય છે. ત્યારે ફરી એક વાર કંગનાની મુશ્કેલી ફરી એક વાર (Kangna Ranaut's difficulty increased) વધી છે. આ વખતે અભિનેત્રી વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ દાખલ (Another Complaint filed against Kangana Ranaut) કરવામાં આવી છે.

Another Complaint filed against Kangana Ranaut: કંગના રણૌત સામે ફરી દાખલ થઈ ફરિયાદ, જાણો હવે શું કરી બબાલ
Another Complaint filed against Kangana Ranaut: કંગના રણૌત સામે ફરી દાખલ થઈ ફરિયાદ, જાણો હવે શું કરી બબાલ

હૈદરાબાદઃ દેશની આઝાદી અંગે વિવાદાસ્પદ નિવેદન (Kangana Ranaut's statement on the India's independence) આપનારી અભિનેત્રી કંગના રણૌતની મુશ્કેલીઓ ફરી એક વાર (Kangna Ranaut's difficulty increased) વધી છે. આ મામલે કોંગ્રેસના મહાસચિવ ભરતસિંહે 28 ડિસેમ્બરે કંગના રણૌત સામે મુંબઈમાં ફરિયાદ (Complaint against Kangana Ranaut in Mumbai) દાખલ કરી છે. તો એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ (Another Complaint filed against Kangana Ranaut) કરવામાં આવી છે.

ફરિયાદમાં શેનો ઉલ્લેખ?

કંગના રણૌત સામે જે ફરિયાદ નોંધવામાં (Another Complaint filed against Kangana Ranaut) આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કંગનાનું આ બેફામ અને બેજવાબદાર નિવેદન ટીવીના માધ્યમથી વિશ્વભરમાં જોવા મળ્યું હતું. અભિનેત્રીએ આ નિવેદનમાં ભારતીય નાગરિકો, મહાન પૂર્વ સ્વતંત્રતા સૈનિકો, નાયકો અને પૂર્વ નેતાઓની રાષ્ટ્રીય ગરિમા અને સન્માનને પણ ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો- Bollywood Year Ender 2021: ફક્ત એક જ ક્લિકમાં જાણો, આ વર્ષની હિટ અને ફ્લોપ ફિલ્મો

કંગનાનું બેફામ નિવેદન

હાલમાં જ એક ટીવી ડિબેટમાં પહોંચેલી કંગના રણૌતે એ કહીને દેશવાસીઓને નિરાશ કર્યા હતા કે, વર્ષ 1947માં મળેલી આઝાદી ભીખમાં મળેલી (Kangana Ranaut's statement on the India's independence) આઝાદી છે અને સાચી આઝાદી તો વર્ષ 2014માં મળી છે. કંગનાના આ વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર (Kangna Ranaut's difficulty increased) દેશનો ગુસ્સો જ્વાળામુખીથી તેજ ઉકળી રહ્યો હતો.

પદ્મશ્રી પરત લેવાની પણ ઊઠી હતી માગ

આપને જણાવી દઈએ કે, કંગનાના આ નિવેદન પછી તેની સામે એક ફરિયાદ નોંધવામાં આવી હતી. તો અભિનેત્રીને વર્ષ 2020 માટે મળેલા પદ્મશ્રી એવોર્ડને પણ પરત લેવાની માગ ઊઠી હતી. કંગનાના આ નિવેદનથી ચીડાઈને લોકો રસ્તા પર આવીને તેના પૂતળા બાળવા લાગ્યા હતા.

કંગનાનું વર્કફ્રન્ટ

કંગના રણૌત અત્યારે નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સ્ટારર ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરૂ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અભિનેત્રી ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. તો તેમણે હાલમાં જ કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ડિરેક્ટરની ખુરશી પર બેઠી રહી છે. ફોટો શેર કરી તેણે જણાવ્યું હતું કે, તેમને ભારતીય સિનેમાના સુવર્ણ યુગના એક દુર્લભ રત્ન (ન્યૂઓલ કેમેરા) મળ્યો છે, જે તેમના માટે કોઈ વરદાનથી ઓછું નથી. તેમણે આ કિંમતી રત્ન માટે પ્રખ્યાત નિર્દેશક બિમલ રોય અને તેમના પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો- બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવ, ઘરે જ આઈસોલેટ થઈ ગઈ

કંગનાની આગામી ફિલ્મો

કંગના ટૂંક જ સમયમાં ધાકડ, તેજસ અને મણિકર્ણિકા રિટર્ન્સ જેવી ફિલ્મોથી ધમાલ મચાવવાની તૈયારીમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.