ETV Bharat / bharat

નડ્ડા વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રાને આપશે લીલી ઝંડી

author img

By

Published : Oct 12, 2022, 10:35 AM IST

Updated : Oct 12, 2022, 11:00 AM IST

ભાજપ વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly elections 2022) લઈને પ્રચારને વેગ આપવા ગૌરવ યાત્રા કાઢશે. આ યાત્રાને ગુજરાતમાં પાંચ અલગ-અલગ ધાર્મિક સ્થળોએથી ફ્લેગ ઓફ કરીને 144 બેઠકોમાંથી પસાર થશે. ત્યારે શું છે સમગ્ર આયોજન જૂઓ વિગતવાર. (adda flag off gujarat gaurav yatra)

નડ્ડા વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રાને આપશે લીલી ઝંડી
નડ્ડા વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રાને આપશે લીલી ઝંડી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (gujarat assembly elections 2022) તેના પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ગૌરવ યાત્રા કાઢશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે આવી બે મુલાકાતોને ફ્લેગ ઓફ કરશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રાને ગુજરાતમાં પાંચ અલગ-અલગ ધાર્મિક સ્થળોએથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને 10 દિવસની આ યાત્રા રાજ્યની 182 વિધાનસભાની બેઠકોમાંથી 144 બેઠકોમાંથી પસાર થશે.(adda flag off gujarat gaurav yatra)

ક્યાંથી ક્યાંથી નીકળશે યાત્રા મળતી માહીતી અનુસાર, પ્રથમ યાત્રા (Gujarat Gaurav Yatra) મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢ સુધી જશે. બહુચરજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિર છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.

કોણ કોણ યાત્રામાં જોડાશે પાર્ટીના એક નેતાએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક મુલાકાતોને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ મુલાકાતમાં જોડાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન પણ આ મુલાકાતમાં હાજરી આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં અનેક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેમણે હજારો કરોડના વિકાસના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો છે. (assembly elections 2022)

ભાજપ 1995થી સતત સત્તા પર પાર્ટી આ પ્રવાસ દરમિયાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના સામે આવી છે. આ યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં આદિવાસી પ્રભુત્વ છે. આદિવાસી બહુલ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે. ગુજરાતમાં ભાજપ 1995થી સતત સત્તા પર છે. મોદી રાજ્યના 22મા મુખ્યપ્રધાન બન્યા (BJPs Gujarat Gaurav Yatra) અને સતત 13 વર્ષ સુધી આ પદ પર રહ્યા. સતત ત્રણ ટર્મ સુધી મુખ્યપ્રધાન રહ્યા બાદ મોદીએ 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ આનંદીબેન પટેલ ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા.

મોદીએ એકવાર યાત્રા કાઢી છે ગુજરાતના મુખ્યપ્રધાન હોવા છતાં મોદીએ એકવાર ગુજરાત ગૌરવ યાત્રા કાઢી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીએ ગુજરાત ગૌરવ યાત્રા કાઢી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. (BJP President JP Nadda)

ભાજપની ગૌરવયાત્રા : આગામી સમયમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી કોઈ પણ સમયે આવી શકે છે. તેને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠક પર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જે પૈકી સૌરાષ્ટ્રની ખૂબ નબળી ગણાતી બેઠકો પર બે ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જે પૈકીની પ્રથમ ગૌરવયાત્રા દેવભૂમિ દ્વારકાથી શરૂ થઈને રાષ્ટ્રપિતાના જન્મ સ્થળ પોરબંદર ખાતે પૂર્ણ થશે. બીજી તરફ સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી શરૂ થઈને બીજી યાત્રા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં પૂર્ણ થશે.

ધાર્મિક સ્થાન છે : સુરેન્દ્રનગરનુ ઝાંઝરકા ધાર્મિક સ્થાન સમગ્ર રાજ્યમાં દલિતોના ધાર્મિક સ્થાન તરીકે ઓળખાય છે. સમગ્ર રાજ્યના દલિતો ઝાંઝરકા ધાર્મિક સ્થાન સાથે જોડાયેલા છે. જેને લઈને પણ સૌરાષ્ટ્રની બે ગૌરવયાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતા ભાજપનું ખૂબ નબળું પ્રદર્શન જોવા મળ્યુ હતુ. જેને લઈને પણ ભાજપની બંને ગૌરવ યાત્રા ખૂબ જ મહત્વની મનાય છે.

નિષ્ફળતા હતી : જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભાજપ નો એક પણ ધારાસભ્ય કેશોદ વિધાનસભાને બાદ કરતા ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી જ પરિસ્થિતિ જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળી હતી ત્યારે આ વર્ષે આવી રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધરે. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર ભાજપ.નો ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ થાય તેમને ધ્યાને રાખીને ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે.

કોંગ્રેસને ફાયદો : ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ અને અગ્રણી નેતાઓ દ્વારા સોમનાથ દ્વારકા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ધાર્મિક સ્થાનોની મુલાકાત ચૂંટણી પૂર્વે લીધી હતી. જેનો ફાયદો કોંગ્રેસને પરિણામોમાં થયો અને તેના મોટાભાગના ઉમેદવારો રાજકોટ શહેરને બાદ કરતા ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા ત્યારે આ વર્ષે કોંગ્રેસ પહેલા ભાજપે ધર્મસ્થાનોને જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે પૈકીની બે યાત્રા દેવભૂમિ દ્વારકા થી પોરબંદર અને ઝાંઝરકા થી સોમનાથ સુધીનું આયોજન કરાયું છે જેમાં ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહીને વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ભાજપના પ્રચારનું રણશીગુ પણ ફૂકશે.

Last Updated :Oct 12, 2022, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.