ETV Bharat / bharat

75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક

author img

By

Published : Dec 18, 2021, 6:22 AM IST

1650માં ચાંદની ચોક અસ્તિત્વમાં આવ્યો હતો. શાહજહાંની દીકરી જહાંઆરા (shah jahan daughter jahanara)એ જૂની દિલ્હી એટલે કે તત્કાલીન શાહજહાંનાબાદમાં ચાંદની ચોક બજાર (shahjahanabad chandni chowk market)ને વસાવ્યું હતું. ચાંદની ચોક ગુલામીના યુગથી લઇને આઝાદી સુધીની અનેક ઘટનાઓનો સાક્ષી છે.

75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક
75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક

ન્યૂઝ ડેસ્ક : આઝાદીના સમયથી અત્યાર સુધી દેશ ન જાણે કેટલા રૂપોમાં બદલાઈ ગયો, પરંતુ કેટલાક નિર્માણ એવા છે જે વિકાસની સાથે એ જ રીતે પ્રાસંગિક છે જે રીતે આઝાદી પહેલા હતા. આ વારસામાં પેઢીઓનો વારસો વસ્યો છે અને વિકાસના નવા સંકેતો પણ છે. આ વિરાસતોએ મુઘલોનો આવતો-જતો સમય (mughal period in india) જોયો, પછી અંગ્રેજ શાસનનો ધ્વજ લહેરાવતો (british period in india) જોયો. 1887ની ક્રાંતિથી (the revolution of 1887) લઈને જંગ-એ-આઝાદીના યુગ સુધી આ વારસો આજે પણ રોજિંદા જીવન સાથે સંકળાયેલો છે. આવો જ એક અનોખો વારસો છે દિલ્હીનો ચાંદની ચોક.

75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક

શાહજહાંની દીકરીએ ચાંદની ચોક બજાર વસાવ્યું

આ એ ચાંદની ચોક છે જેણે દિલ્હીને બનતા અને તૂટતા જોયું. અનેક શાસકો આવ્યા અને ગયા, પરંતુ ચાંદની ચોકની ચમક હંમેશા જળવાયેલી રહી. ઇતિહાસકારો જણાવે છે કે શાહજહાંની દીકરી જહાંઆરા (shah jahan daughter jahanara)એ જૂની દિલ્હી એટલે કે તત્કાલીન શાહજહાંનાબાદમાં ચાંદની ચોક બજારને વસાવ્યું હતું, જે બાદમાં આખા વિસ્તારનું નામ થઈ ગયું. એવું નથી કે અહીં માત્ર બજાર જ સ્થાયી હતી. જહાંઆરાએ અહીં ઘણી ઈમારતો, હમામ, સરાઈ અને બીજી ઘણી ઈમારતો બનાવી હતી, પરંતુ 1857ના વિદ્રોહ પછી અંગ્રેજોએ આમાંથી કેટલીક ઈમારતોને તોડી પાડી અને ટાઉન હોલ અને ઘંટાઘર જેવી ઈમારતો બનાવી.

1650માં ચાંદની ચોક અસ્તિત્વમાં આવ્યો

મુઘલ સમ્રાટ શાહજહાંનું રાજધાની બદલવાનું સપનું 1649માં પૂરું થયું હતું. તેના એક વર્ષ પછી એટલે કે 1650માં ચાંદની ચોક અસ્તિત્વમાં આવ્યો. લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ (fatehpuri masjid delhi)સુધીનો રસ્તો, જેને લોકો આજે ચાંદની ચોક તરીકે ઓળખે છે. એક સમયે અહીં યમુનામાંથી નીકળતી નહેર વહેતી હતી. ત્યારબાદ જ્યારે 1911માં અંગ્રેજોએ દિલ્હીને પોતાની રાજધાની બનાવી, ત્યારે તે જ કેનાલ સાઇટ પર ટ્રામ દોડવા લાગી. દેશના ભાગલા પછી દિલ્હી આવેલા શરણાર્થીઓએ અહીં દુકાનો ચલાવવાનું શરૂ કર્યું. જેના કારણે તેનું આર્થિક મહત્વ વધ્યું અને અહીંથી રહેણાંક વિસ્તાર ઘટ્યો.

ચાંદની ચોકમાં કયા કયા વિસ્તારનો સમાવશે?

ચાંદની ચોક લાલ કિલ્લાથી શરૂ થાય છે અને પછી જૈન મંદિર, ગૌરી શંકર મંદિર, ગુરુદ્વારા શીશગંજ થઈને ફતેહપુરી મસ્જિદ સુધીનો વિસ્તાર આવરી લે છે. ચાંદની ચોકના આંગણામાં અદબનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. પછી ભલે તે બલ્લીમારન ગલી હોય, ખારી બાવલી, કિનારી બજાર, મોતી બજાર (moti bazar chandni chowk) હોય કે સ્વાદ પસંદ કરતા લોકોનું સ્થળ પરાઠા વાલી ગલી. ચાંદની ચોક આ તમામને પોતાનામાં સામેવેલું છે.

બલ્લીમાર સાથે ગાલિબનો સંબંધ

ચાંદની ચોકમાં વિવિધ પ્રકારની દુકાનો તેની વિશેષતા છે. અહીંની સાંસ્કૃતિક પરંપરાઓ તેને અલગ રાખે છે. પ્રખ્યાત ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પણ ચાંદની ચોક (mirza ghalib chandni chowk)ને અડીને આવેલા બલ્લીમારન વિસ્તાર સાથે સંકળાયેલા હતા. કોઈપણ શહેર જેટલું જૂનું થાય, દેખીતી રીતે તેમાં પણ ફેરફારો થશે.

ચાંદની ચોક અનેક ઘટનાઓનો સાક્ષી

1857ની ક્રાંતિ પછી પરિવર્તનનો સાક્ષી બનેલો દિલ્હીનો ચાંદની ચોક આજે એક એવો વારસો છે જેણે ગુલામીનો યુગ જોયો, આઝાદીની સુવર્ણ સવાર જોઈ અને આજે પણ માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશનો સાંસ્કૃતિક વારસો (chandni chowk cultural heritage of the country) પણ તેની અંદર સમાયેલો છે. દિલ્હીને તેના આ વારસા પર ગર્વ છે.

આ પણ વાંચો: 75 Years of Independence: કેરળ સ્વતંત્રતાસંગ્રામમાં ગૌરવમય પ્રદાન માટે ઉલિયાથુ કદવુની ઉપેક્ષિત ભૂમિનું ઋણી છે

આ પણ વાંચો: 75 Years of Independence: ભગતસિંહ, એક એવા ક્રાંતિકારી જેમણે ન્યાય માટે ફક્ત એક જ ગોળી ચલાવી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.