આવતીકાલે વડાપ્રધાન મોદી જામનગરમાં આવશે, પીએમ કોનવોયનું ફાઈનલ રિહર્સલ યોજાયું - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 8:00 PM IST

thumbnail

જામનગર: લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. વડાપ્રધાન ખુદ એક પછી એક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. 1 અને 2મે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે 2જી તારીખે વડાપ્રધાન જામનગરમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા યોજાવાની છે. વડાપ્રધાનના જામનગર પ્રવાસના પગલે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પીએમ કોનવોય કાફલાનું ફાઈનલ રિહર્સલ યોજવામાં આવ્યું છે. આજે જામનગર એરફોર્સ સ્ટેશનથી દિગજામ સર્કલ પસાર કરી, 7 રસ્તા સર્કલ થઈ પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીના રસ્તા પર કોનવોય વાહનોના કાફલાનું ફાઈનલ રિહર્સલ યોજવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનના કાફલામાં ઉપયોગ થનાર કાર સહિતના તમામ વાહનોનો કાફલો આ રિહર્સલમાં જોડાયો હતો. આજે સાંજે 5 કલાક આસપાસ આ રિહર્સલ યોજવામાં આવ્યું છે.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.