ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓએ શા માટે કહ્યું કે, ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે. જાણો શું છે મામલો - Takshshila fire

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 9:22 PM IST

24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 22 વિદ્યાર્થીઓના માતા-પિતા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરથાણામાં બિલ્ડિંગની બહાર એકત્ર થયા હતા. પોતાના બાળકોને ગુમાવનાર માતા-પિતાએ રાજકોટની ઘટના બાદ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે ન્યાયતંત્ર પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. સરકાર ન્યાય આપાવશે એ વાત તો દુર પરંતુ દોષિઓને છાવરવામાં સરકારને લાજ પણ નથી આવતી. પાંચ વર્ષ વીતી ગયા છતાં ન્યાય મળ્યો નથી.

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ
તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ (Etv Bharat Gujarat)

સુરત: ત્રણ દિવસ પહેલા તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડને પાંચ વર્ષ વીતી ગયા છે. તેના એક દિવસ પછી જ ગુજરાતના રાજકોટમાં આવી જ અગ્રિકાંડની ઘટના બને છે. જેને લઇ તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓ એક જ વાત કરી રહ્યા છે. તેઓ સરકાર પર પ્રહાર કરતા કહે છે કે, ન્યાય અપાવવાની મોટી મોટી વાતો થવા છતા પણ આવી ઘટના એક બાદ એક બની રહી છે. દર વર્ષે આ વિસ્તારના માતા-પિતા અને નાગરિકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તક્ષશિલા આર્કેડ ખાતે ભેગા થાય છે. તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડમાં પોતાના બાળકોને બચાવવા માટે આજીજી કરનાર વાલીઓ આજે પણ નિ:સહાય નજરે આવી રહ્યા હતા. રાજકોટની ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને લોકો અંગે સાંભળી તેઓને તક્ષશિલા અગ્નિકાંડ આંખ સામે આવી ગયો.

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓ (Etv Bharat Gujarat)

ન્યાય પરથી ભરોસો ઉઠી ગયો છે: દીકરી સારી પેન્ટિંગ બનાવતી હતી ઘરમાં અનેક પેઇન્ટિંગ તેણેે બનાવીને રાખી હતી. દીકરીની કલાથી પિતા ગૌરાંનવીત થતા હતા. તે જ દિકરી ગ્રીષ્મા તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામી હતી. તેમના પિતા આજે પણ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે કોર્ટ કચેરીમાં ચક્કરો મારી રહ્યા છે. જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, તક્ષશિલાના પીડિત પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ ઘટના બાદ પણ અનેક ઘટનાઓ બની છે. જેમાં માસુમો મૃત્યુ પામ્યા છે. જેવી રીતે તક્ષશિલામાં ઘટના બની તેવી જ રીતે રાજકોટની ઘટના બની છે. મોટી વાતો કરવામાં આવી હતી કે કોઈને છોડવામાં આવશે નહીં. કહેવામાં આવ્યું હતું કે, કસૂરવારોને સજા કરવામાં આવશે. પાંચ વર્ષ પછી પણ કસૂરવારોને પકડવામાં આવ્યા નથી. ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે. અમે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વાત કરી હતી. આ માટે કોર્ટમાં અરજી પણ કરાઈ હતી પરંતુ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલ્યો નથી. જો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલ્યો હોત તો આવી ઘટના બીજીવાર બની ન હોત.

તક્ષશિલા અગ્નિકાંડ
તક્ષશિલા અગ્નિકાંડ (Etv Bharat Gujarat)

ભ્રષ્ટ કોર્પોરેશનથી સરકાર ચાલે છે: સ્થાનિક અમિતભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા છે તેમ છતાં ન્યાય નથી મળ્યો. આવી ઘટના વારંવાર થાય છે. આવા ભ્રષ્ટ લોકો ક્યારે સુધરશે ? ભ્રષ્ટ કોર્પોરેશનથી સરકાર ચાલી રહી છે. ક્યારે આ લોકો સુધરશે અને લોકોને ન્યાય મળશે.

તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોને ગુમાવનાર માતા-પિતા
તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોને ગુમાવનાર માતા-પિતા (Etv Bharat Gujarat)

ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ: સ્થાનિક સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં જે ઘટના બની તેમાં 22 બાળકો મૃત્યુ પામ્યા હતા. પાંચ વર્ષ થઈ ગયા છતા પણ આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને સજા થઈ નથી. તમામ આરોપીઓ આજે જામીન પર બહાર ફરી રહ્યા છે. હાલ જે તાજેતરમાં ઘટના બની છે તેમાં શું થશે તે અમે વિચારી શકીએ છીએ. કારણ કે આની અંદર જે પોલીસીને લઈ અમલીકરણની વાત છે તે થઈ નથી. 2022 માં આજે તક્ષશિલા ઘટનાને ધ્યાનમાં રાખીને પબ્લિક સેફટી માટે એક્ટ બનાવવાની વાતનુ કોઈ અમલીકરણ થયું નથી. અધિકારીઓ માત્ર લોકો પાસેથી પૈસા લે છે. તેઓ ભ્રષ્ટાચાર કરે છે. સરકારના નેતાઓનો પણ પૈસામાં ભાગ હોવાથી તેઓ આવા અધિકારીઓને છાવરે છે. હજારો લોકો બળીને ખાક થઈ જાય તેમ છતાં તંત્રને કોઈ ફરક પડશે નહીં. ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ બની ગયો છે. મૃતકોના પરિવારને 4 લાખ આપી દો. એસઆઇટીની રચના કરી દો. બસ વાત ખતમ.

  1. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે FIR દાખલ, 6 સામે ગુનો નોંધાયો - rajkot game zone fire incident
  2. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો - Warning to fishermen by IMD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.