ETV Bharat / state

નર્મદા પરિક્રમા મોટરમાર્ગે શરુ કરાતા ભક્તોમાં રોષ, ચૂંટણી સંદર્ભે નિર્ણય લેવાની 'અંદરખાને' ચર્ચા - Narmada Panchkoshi Parikrama

author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 9:35 PM IST

નર્મદા પરિક્રમા મોટરમાર્ગે શરુ કરાતા ભક્તોમાં રોષ
નર્મદા પરિક્રમા મોટરમાર્ગે શરુ કરાતા ભક્તોમાં રોષ (Etv Bharat Gujarat)

ભરૂચ નર્મદાની પંચકોશી પરિક્રમાને 10 દિવસ બાકી રહ્યા છે તેવામાં જ નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરીને પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. જેનાથી શહેરાવનો હંગામી પુલ તૂટી ગયો છે. 7મીએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે સમયે જ આ નિર્ણય સંદર્ભે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. Narmada Panchkoshi Parikrama

નર્મદા પરિક્રમા મોટરમાર્ગે શરુ કરાતા ભક્તોમાં રોષ (Etv Bharat Gujarat)

ભરુચઃ નર્મદાની પંચકોશી પરિક્રમાને 10 દિવસ બાકી રહ્યા છે. આ સંજોગોમાં પરિક્રમા પગપાળા માર્ગને બદલે મોટરમાર્ગે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય પાછળનું ગણિત અને સ્વાર્થને લઈને ભકતોમાં અનેક તર્ક અને વિતર્ક થઈ રહ્યા છે. 7મી મેના રોજ ચૂંટણીમાં વોટિંગ ઓછું થવાના ડરે પરિક્રમા અટકાવી દેવામાં આવી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

મધ્યપ્રદેશમાં વીજળીની માંગઃ નર્મદાની પંચકોશી પરિક્રમા આદિકાળથી રામપુરાથી શહેરાવ અને તિલકવાડાથી રેંગણના 18 કિમીના પરંપરાગત રૂટ પર કરવામાં આવે છે. ચાલુ વર્ષે હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓને બોટમાં નદી નહીં પાર કરવા દેવા સરકાર કટિબદ્ધ હોવાથી મોટરમાર્ગે પરિક્રમા થઇ શકે તે માટે 78 કિમીનો નવો રૂટ તૈયાર કરાયો હતો પણ સાધુ- સંતોના વિરોધના પગલે જૂના રૂટ પર જ પંચકોશી પરિક્રમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર મધ્યપ્રદેશમાં વીજળીની માગ વધતાં રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાયું હોવાનું રટણ કરી રહ્યું છે. ચૂંટણી અને પરિક્રમા વચ્ચે શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યાં છે. તેમને 18 કિમીની પરંપરાગત પરિક્રમાને બદલે વધુ લાંબો રુટ પાર કરવો પડી રહ્યો છે. નવા રૂટ પર વાહન વિના પરિક્રમા શકય નથી.

માત્ર 5 દિવસ માટે નિર્ણય કરાયોઃ 8મી એપ્રિલે પરિક્રમા શરૂ થઈ ત્યારે નર્મદાનાં નીર શાંત હતાં અને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ચૂક્યા છે. હવે આ પરિક્રમા માત્ર 5 દિવસ બાકી છે. જેને લઈ સાધુ સંતો નારાજ થયા છે. જો કે આ પરિક્રમા હાલ મોટરમાર્ગે શરુ કરવામાં આવી છે. જે પરિક્રમા અગાઉ 21 કિમિની થતી હવે એ 84 કિમીની થઈ ગઈ છે. આ નવા રુટમાં પરિક્રમા પગપાળા 2 દિવસ અને મોટરમાર્ગે 3 કલાકમાં પૂરી થાય છે. ફરીથી આ મોટરમાર્ગ શરૂ કરાતા ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા પરિક્રમા સદંતર બંધ કરવામાં નથી આવી પરંતુ ઓલ્ટરનેટિવ રુટ પર ચાલી રહી છે...જે કે જાદવ (નોડલ અધિકારી, પંચકોશી પરિક્રમા)

  1. Narmada Parikrama : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRFએ કર્યું રેસ્ક્યું
  2. નર્મદા પરિક્રમા કરવા નીકળેલ શ્રદ્ધાળુઓની એક બોટ દિશા ચૂકી લવાછા દરિયાકાંઠે આવી પહોંચી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.