ETV Bharat / state

Ambaji 51 Shaktipith Parikrama: 51 શક્તિપીઠ પરિક્રમાનો 3જો દિવસ, 2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 9:31 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે 3જા દિવસે અનેક ભકતો અને શ્રદ્ધાળુઓએ ધજા યાત્રા કાઢી હતી. આજે બ્રહ્માકુમારી દ્વારા પણ ધજાયાત્રાનું આયોજન કરાયું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ambaji 51 Shaktipith Parikrama

51 શક્તિપીઠ પરિક્રમાનો 3જો દિવસ
51 શક્તિપીઠ પરિક્રમાનો 3જો દિવસ

2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

અંબાજીઃ માતાજીના ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 2 દિવસ દરમિયાન અંદાજે 4,20,000 ઉપરાંત માઈ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. 3જા દિવસે પણ ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો. આજે બ્રહ્માકુમારી દ્વારા પણ પરિક્રમાનો લાભ લેવામાં આવ્યો હતો. ભકતો, શ્રદ્ધાળુઓ અને બાળકોએ પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ તો અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકો પોતાના શિક્ષકો સાથે આ પરિક્રમા મહોત્સવમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી.

માઉન્ટ આબુથી બ્રહ્માકુમારી અનુયાયીઓ પધાર્યા
માઉન્ટ આબુથી બ્રહ્માકુમારી અનુયાયીઓ પધાર્યા

2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાંઃ અંબાજી ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. પરિક્રમા મહોત્સવના 2 દિવસ દરમિયાન 4 લાખ 20 હજારથી વધુ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો હતો. પ્રથમ દિવસે 2,10,000 જ્યારે બીજા દિવસે 2,15,000 આમ કુલ 4,20,000થી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી. 3જા દિવસે પણ ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો.

અનેક ધજાયાત્રાઓ યોજાઈ
અનેક ધજાયાત્રાઓ યોજાઈ

વિવિધ મંદિરોમાં ચાલી રહ્યા છે શક્તિ યજ્ઞઃ પરિક્રમા મહોત્સવ દરમિયાન 51 શક્તિપીઠ મંદિરોમાં ઠેર ઠેર શક્તિયાગ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિવિધ વિધિ વિધાનથી આ યજ્ઞ યોજાઇ રહ્યા છે. જેમાં વિવિધ યજમાનો પણ સહભાગી થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભૂદેવો દ્વારા પણ મંત્રોચ્ચાર અને શાસ્ત્રો વિધિ વિધાન સાથે યજ્ઞ પૂજા પાઠ કરી અને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે બ્રહ્માકુમારી પરિવારે પરિક્રમાનો લાભ લીધો
આજે બ્રહ્માકુમારી પરિવારે પરિક્રમાનો લાભ લીધો

આદિવાસીઓની પરંપરાગત વેશભૂષા એ આકર્ષણ જમાવ્યુંઃ અંબાજીમાં ગુજરાત ભરમાંથી ભક્તો આવે છે. જેમાં આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા સાથે આવે છે. તેમની પરંપરાગત વેશભૂષાને ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

અનેક મંદિરોમાં થઈ રહ્યા છે શક્તિયાગ યજ્ઞો
અનેક મંદિરોમાં થઈ રહ્યા છે શક્તિયાગ યજ્ઞો

આવતીકાલે ધારાસભ્યો જોડાશેઃ અંબાજી ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ભાગ લેવાના છે. તમામ ધારાસભ્યો સાંજે મહા આરતીમાં પણ જોડાશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

બ્રહ્માકુમારી અંબાજી સંસ્થા દ્વારા પરિક્રમાઃ અંબાજી તેમજ માઉન્ટ આબુના બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ પણ પરિક્રમા કરવા પહોંચ્યા હતા. બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ધજા યાત્રા પણ યોજવામાં આવી હતી.

આજે આ પરિક્રમા મહોત્સવમાં મા અંબા આપણને સૌને એક કરી રહ્યા છે. ભક્તો આદરપૂર્વક માતાજીના દર્શનનો લાભ લે છે અને સૌ ખુશીથી મહાલતા જોવા મળી રહ્યા છે...મનોજ પટેલ(યાત્રિક)

અમે માઉન્ટ આબુથી ખાસ આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ. અહીં બહુ સુંદર ભક્તિભાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી લાખો ભકતોએ પરિક્રમા મહોત્સવનો લાભ લીધો છે...બ્રહ્માકુમાર ભાવેશ(યાત્રિક, માઉન્ટ આબુ)

આ પરિક્રમા મહોત્સવમાં પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી અપીલ છે કે તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકો પોતાના શિક્ષકો સાથે આ પરિક્રમા મહોત્સવમાં જોડાય...વિદ્યાર્થી(ભવાની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, અંબાજી)

  1. Banaskantha News : 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઇ
  2. Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજથી થઈ શરૂઆત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.