ETV Bharat / state

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 સહાય રાજ્ય સરકારે જાહેર કરી - TRP Game Zone tragedy

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 5:29 PM IST

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે લાગેલી વેચાણ આગમાં 24 લોકોના મોત થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુર્ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે જિલ્લા તંત્રને આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરી છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આગ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી: આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના: આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા: આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું 'રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.

  1. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપા દ્વારા 14 ગેમિંગ ઝોનમાં કરાઇ તપાસ કામગીરી - Investigation by the Municipality
  2. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો - Warning to fishermen by IMD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.