ETV Bharat / bharat

ED Claim K Kavita Conspired : દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસમાં નવો વળાંક, ઈડીનો કે કવિતા પર મોટો આરોપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 8:03 AM IST

દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ઈડીનો કે કવિતા પર મોટો આરોપ છે કે તેમણે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના અન્ય ટોચના નેતાઓ સાથે મળી ષડયંત્ર રચ્યું હતું.

ED Claim K Kavita Conspired : દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસમાં નવો વળાંક, ઈડીનો કે કવિતા પર મોટો આરોપ
ED Claim K Kavita Conspired : દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસમાં નવો વળાંક, ઈડીનો કે કવિતા પર મોટો આરોપ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું હતું કે દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસ કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું છે કે બીઆરએસ નેતા કે કવિતાએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત આપના ટોચના નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. ઈડીએ એ પણ ખુલાસો કર્યો છે કે ગુનાની આવકમાંથી અત્યાર સુધીમાં રૂ. 128.79 કરોડની સંપત્તિ શોધી કાઢવામાં આવી છે અને એટેચ કરવામાં આવી છે.

કવિતાના ઘેર રેઇડ : બીઆરએસ સુપ્રીમો અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની 15 માર્ચે હૈદરાબાદથી આ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. અહીંની વિશેષ અદાલતે તેને 23 માર્ચ સુધી કસ્ટડીમાં પૂછપરછ માટે ઈડીને મોકલી આપ્યાં હતાં. એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "15 માર્ચે હૈદરાબાદમાં કવિતાના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચની કાર્યવાહી દરમિયાન, બીઆરએસ નેતા કે કવિતાના સંબંધીઓ અને સહયોગીઓ દ્વારા ઈડી અધિકારીઓને અવરોધ કરવામાં આવ્યો હતો."

બીઆરએસ નેતા કે કવિતાની સંડોવણી : ઈડીની અત્યાર સુધીની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બીઆરએસ નેતા કે કવિતાએ અન્યો સાથે મળીને દિલ્હીની એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં લાભ મેળવવા માટે સીએમ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિતના ટોચના AAP નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "તે આ તરફેણના બદલામાં આપ નેતાઓને રૂ. 100 કરોડ ચૂકવવામાં શામેલ હતાંં." દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્રના કારણે ગેરકાયદે નાણાંનો પ્રવાહ ઉભો થયો હતો. જથ્થાબંધ વેપારીઓ પાસેથી લાંચના નાણાં લેવામાં આવ્યા હતા.

દેશભરમાં 245 સ્થળોએ સર્ચ : અધિકારીએ જણાવ્યું કે કવિતા અને તેના સહયોગીઓ આપPને અગાઉથી ચૂકવવામાં આવેલી ગુનાની રકમ વસૂલ કરવાના હતા અને આ સમગ્ર કાવતરું ગુનાની આવકને ચેનલાઇઝ કરવાનું હતું. "ઇડીએ અત્યાર સુધીમાં દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઇ, મુંબઇ અને અન્ય સ્થળો સહિત દેશભરમાં 245 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં આપના મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. "અધિકારીએ કહ્યું. છે." ઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં એક પ્રોસિક્યુશન ફરિયાદ અને પાંચ પૂરક ફરિયાદો દાખલ કરી છે.

128.79 કરોડની સંપત્તિ શોધી કાઢવામાં આવી : "વધુમાં, ગુનાની આવકમાંથી અત્યાર સુધીમાં રૂ. 128.79 કરોડની સંપત્તિ શોધી કાઢવામાં આવી છે અને 24 જાન્યુઆરી, 2023 અને 3 જુલાઈ, 2023 ના રોજના જોડાણના આદેશોની એડજ્યુડિકેટિંગ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે," તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

  1. તેલંગાણા ચૂંટણી 2023 : કોંગ્રેસે MLC કે. કવિતા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી
  2. Delhi Liquor Scam : બીઆરએસ એમએલસી કવિતાની ધરપકડ, દિલ્હી લિકર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આઈટીનો સપાટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.