ETV Bharat / bharat

રાહુલ ગાંધી આજે પ્રચાર માટે અમૃતસર પહોંચશે, જાણો તેમની ચૂંટણી યાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ... - Rahul Gandhi Campaigning Amritsar

author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 12:26 PM IST

પંજાબમાં 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં ભાગ લેવા માટે રાજકીય મોટા નેતાઓએ પંજાબમાં પ્રવેશ કરવાનુ શરુ કરી દીઘું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી પોતાના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. Rahul Gandhi Campaigning Amritsar

રાહુલ ગાંધી અમૃતસરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત ઔજલાની તરફેણમાં પ્રચાર કરશે
રાહુલ ગાંધી અમૃતસરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત ઔજલાની તરફેણમાં પ્રચાર કરશે (Etv Bharat)

અમૃતસર: પંજાબ 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં ભાગ લેવા માટે તૈયાર છે. હવે રાજકીય મોટા નેતાઓએ પંજાબમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી પોતાના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરવા અમૃતસર પહોંચી રહ્યા છે.

ગુરુ નગરથી ચૂંટણી પ્રચાર શરૂઃ કાર્યક્રમ મુજબ, રાહુલ ગાંધી અમૃતસરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત ઔજલાની તરફેણમાં પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ એક વિશાળ રેલીને પણ સંબોધિત કરશે. જો રાહુલ ગાંધીના આગમનની વાત કરીએ તો તેમનું ટાઈમ ટેબલ સંપૂર્ણપણે ફિક્સ છે.

રાહુલની ચૂંટણી યાત્રા આ રીતે રહેશે:

  • 11:00-12:00 દિલ્હી-અમૃતસર વિશેષ ફ્લાઇટ દ્વારા
  • 12:10 12:40 એરપોર્ટ - રોડ દ્વારા જાહેર સભા
  • 12:40 - 13:40 અમૃતસરમાં જાહેર સભા
  • 13:40-14:10 જાહેર સભા- અમૃતસર એરપોર્ટ રોડ રૂટ
  • 14:20- 14:40 હેલિકોપ્ટર દ્વારા અમૃતસર-ગુરદાસપુર

આગમન પર વિશાળ રેલીઃ રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત સિંહ ઓજલાએ કહ્યું કે, ટકોંગ્રેસ પાર્ટીના ક્રાઉન પ્રિન્સ અને દેશના લોકપ્રિય નેતા રાહુલ ગાંધી અમૃતસર પહોંચી રહ્યા છે, અને તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશા પંજાબના હિતમાં વિચારતા રહ્યા છે, અને જ્યારે તેઓ અમૃતસર પહોંચીને રેલી કરશે તો કોંગ્રેસ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધુ વધશે, રાહુલ ગાંધી અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાર બાદ તેઓ એક મોટી રેલીને સંબોધિત કરશે.

  1. આજે બિહારમાં ફરી ગરજશે PM, NDA ઉમેદવારોના વિજય માટે 3 સ્થળો પર કરશે પ્રચાર - pm narendra modi public meting
  2. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીએ કર્યુ મતદાન, તો કેજરીવાલ આપશે કોંગ્રેસને મત, જાણો કોણ કરશે ક્યાંથી મતદાન ? - loksabha election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.