ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

By

Published : May 19, 2021, 2:13 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેકટર કે. રાજેશે તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી જિલ્લામાં વાવાઝોડાને કારણે ચુડા, લીંબડી, વઢવાણ અને લખતર તાલુકાના ગામોમાં સૌથી વધુ અસર થવાની શક્યતાઓ જણાવી છે. અંદાજે 60થી 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવવાની જિલ્લા કલેક્ટર કે. રાજેશએ લોકોને વાવાઝોડાને પગલે ઘરમાં રહી સરકાર અને તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી ગત 2 દિવસમાં અંદાજે 2000થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details