મુંબઈઃદિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના આંદોલનની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. આ આંદોલન અંગે એક શબ્દ પણ ન બોલનાર ક્રિકેટર સચિન તેંડુલકર NCP બાદ હવે કોંગ્રેસના નિશાના પર છે. મુંબઈ યુથ કોંગ્રેસે બાંદ્રા વેસ્ટ પેરી ક્રોસ રોડ ખાતે સચિન તેંડુલકરના બંગલાની બહાર બેનર લગાવ્યું છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, 'તમે રમતની દુનિયામાં ભગવાન અને ભારત રત્ન પણ છો. પરંતુ જ્યારે કેટલીક સ્પોર્ટ્સ મહિલાઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે તમે ચૂપ છો. બેનરની નીચે યુથ કોંગ્રેસના પ્રવક્તા રંજીતા ગોરનું નામ લખવામાં આવ્યું છે. આ બેનર દ્વારા સચિનને પૂછવામાં આવ્યું છે કે, તમે ચૂપ કેમ છો?
હવે વર્લ્ડ કપ 1983ની વિજેતા ટીમના ખેલાડીઓ પણ કુસ્તીબાજોના હડતાળ પ્રદર્શનના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તમામ ખેલાડીઓએ સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી છે.