ગુજરાત

gujarat

એક લઘુમતી સમાજનો વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ પાસે ઘર ખરીદી શકતો નથી, AIMIMના ચીફ

By

Published : Nov 7, 2022, 11:04 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

સુરત AIMIMના ચીફ અસદુદિન ઓવૈસી સુરતની મુલાકાતે હતા. લીંબાયત વિસ્તારમાં જાહેરસભાને સંબોધતા પહેલા તેઓએ રાજ્ય સરકાર દ્વારા કોમન સિવિલ કોડ પારિત કરવાની વાત કરવામાં આવી છે. તેને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે સરકારની પરવાનગી મળતી નથી. એક લઘુમતી સમાજનો વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ પાસે ઘર ખરીદી શકતો નથી. તેઓ શું કોમન સિવિલ કોડની વાત કરે છે. બાળકીઓનું જન્મદર ઓછું છે. આ માટે જવાબદાર કોણ? બાળકોમાં લોહીની અછત છે. કોણ જવાબ આપશે. વેજેસ ઓછું છે, RBI જણાવે છે. મહિલાઓને એગ્રિકલચર લેન્ડમાં અધિકાર મળશે કે માત્ર કન્યા દાનના નામે બધું પતી જશે. યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો તો યુનિફોર્મ સિવિલડીટી તે જગ્યાઓમાં જોવા નથી મળતી જ્યાં લઘુમતી રહે છે. દલિત લોકો વસે છે. ભાજપ માટે પોતાની કમીઓ છુપાવવા માટે એક તરીકો આ છે. Chief of AIMIM Surat Limbayat area Common Civil Code A person from a minority community Uniform Civil Code Women right to agricultural land Minority community cannot buy a house AIMIM chief
Last Updated :Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details