ગુજરાત

gujarat

મનીષ સિસોદિયાએ કૉંગ્રેસને લીધી આડેહાથ, કહ્યું- આ પાર્ટી પર તો હવે...

By

Published : Jun 4, 2022, 10:43 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ દેશના દિગ્ગજ નેતાઓના રાજ્યના વિવિધ વિસ્તારો આટાંફેરા ચાલુ થયા છે, ત્યારે દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા 3જી જૂને વડોદરાની (Manish Sisodia visits Vadodara) મુલાકાતે હતા. મનીષ સિસોદિયાએ શિક્ષકો અને આચાર્ય સાથે વાર્તાલાપ કર્યો હતા. વડોદરામાં ‘એજ્યુકેશન ટાઉન હોલ’ નામે આ કાર્યક્રમનું (Manish Sisodia Vadodara program) આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ સિસોદિયા ગુજરાતની શિક્ષણ પ્રણાલીની સમસ્યાઓ જાણીને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. દિલ્હીના શિક્ષણપ્રધાન (Delhi Education visits Vadodara) વિદ્યાર્થી વાલી સાથે સંવાદ બાદ મનીષ સિસોદિયા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે પ્રજા અને પાર્ટીના નેતાઓને પણ હવે ઉમ્મીદ નથી. કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. હવે દેશમાં માત્ર ભાજપ અને આમ આદમી આમને સામને છે. સાથે આ સેમિનારમાં શિક્ષણવિદો, વાલીઓ,અને મોટી સંખ્યામાં શિક્ષણને ચાહનાર મને સવાલ કર્યા તેનો આનંદ છે.
Last Updated :Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details