ગુજરાત

gujarat

Coronavirus Updates: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થયો વધારો

By

Published : Dec 31, 2022, 1:18 PM IST

છેલ્લા ચોવીસ કલાકમાં સામે આવેલા કોરોના વાયરસના નવા કેસ (india new corona cases) આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 (corona virus infection in india) માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ 19 વિરોધી રસીના 2,20,10,06,278 ડોઝ આપવામાં આવ્યા છે.

Coronavirus Updates: દેશમાં કોરોનાવાયરસ ચેપ માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં થયો થોડો વધારો
Coronavirus Updates: દેશમાં કોરોનાવાયરસ ચેપ માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં થયો થોડો વધારો

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કોરોના વાયરસના નવા કેસ (india new corona cases) આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ 19ના 226 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે શુક્રવારે કોરોના વાયરસથી સંક્રમિતો (corona virus infection in india)ની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3609 થઈ ગઈ છે.

Coronavirus Updates: દેશમાં કોરોનાવાયરસ ચેપ માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં થયો થોડો વધારો

ભારતમાં કોરોના: શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે એક વ્યક્તિના મૃત્યુ પછી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,46,78,384થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 5,30,702 થઈ ગયો છે. મંત્રાલયે કહ્યું કે, દૈનિક સંક્રમણ દર 0.11 ટકા હતો. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.16 ટકા હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 માટે 213080 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં કોરોના વાયરસનો સંક્રમણ: આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.01 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 98.80 ટકા થયો છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 57 નો વધારો થયો છે. આ રોગથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,41,44,029 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ 19 વિરોધી રસીના 220.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા:તારીખ 7 ઓગસ્ટ 2020ના રોજ ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, તારીખ 23 ઓગસ્ટ, 2020ના રોજ, 30 લાખ અને તારીખ 5 સપ્ટેમ્બર 2020 ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમિતના કુલ કેસ તારીખ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, તારીખ 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, તારીખ 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, તારીખ 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને તારીખ 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. તારીખ 19 ડિસેમ્બર 2020ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે તારીખ 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 2 કરોડને વટાવી ગઈ હતી અને તારીખ 23 જૂન 2021ના રોજ તે 3 કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે તારીખ 25 જાન્યુઆરીએ સંક્રમિતના કુલ કેસ 4 કરોડને વટાવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details