ગુજરાત

gujarat

Surat road accident: SRP જવાનોની બસને નડ્યો અકસ્માત, 17 જવાનો ઘાયલ

By

Published : Feb 2, 2022, 5:44 PM IST

સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની(SRP bus accident in Surat )ઘટના બની હતી. વડોદરાથી SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઈને સુરતના ઉધના જઈ રહેલી SRPની બસના ચાલકે સિયાલજ પાટિયા પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાવી દેતા અસ્ક્મત સર્જાયો હતો. બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ(Injured to go SRP in an accident )થઈ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઈ હતી.

Surat road accident: SRP જવાનોની બસને નડ્યો અકસ્માત,17 જવાનો ઘાયલ
Surat road accident: SRP જવાનોની બસને નડ્યો અકસ્માત,17 જવાનો ઘાયલ

સુરત: સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક SRP જવાનોને લઈ જઈ (SRP bus accident in Surat )રહેલી બસને અકસ્માત નડ્યો હતો. કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉભેલી ટ્રક પાછળ બસ(Surat road accident) અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત(Injured to go SRP in an accident ) થયા હતા.

અકસ્માતમાં 17 જેટલા જવાનો થયા ઇજાગ્રસ્ત

કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરાથી SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઈને સુરતના ઉધના જઈ રહેલી SRPની બસના ચાલકે સિયાલજ પાટિયા પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળ થી બસ અથડાવી દેતા અસ્ક્મત સર્જાયો હતો. બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઈ હતી. તેમજ પીએસઆઈ એસ કે પરમારને ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને કીમચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ(Surat District Police) તેમજ SRPની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

SRP બસનો અકસ્માત

SRP જવાનોને ઉધનાથી યુ.પી ઇલેક્શનના બંદોબસ્તમાં જવાનું હતું

મળતી માહિતી મુજબ થોડા સમયમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી(Uttar Pradesh Assembly elections) યોજવનાર છે ત્યારે આ જવાનો ચૂંટણીના બંદોબસ્તમાં ઉધનાથી જવાનું હતું. હાલ અકસ્માતની ઘટના બનતા જવાનોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃસુરતના કામરેજમાં કારે મોટર સાયકલને અડફેટે લેતા બાળકીનું મોત

ઘટનાને લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અકસ્માતના સમાચાર મળતા જ તેઓએ સોશિયલ મીડિયા મારફતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તમામ જવાનો જલ્દી સાજા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા જવાનોના

  • અજીતસિંહ પરમાર
  • રાયસિંગ ખાટ
  • હિંમત સિંહ ડામોર
  • રવીન્દ્રભાઈ પાઈસ
  • હરેશકુમાર પુરોહિત
  • ઉમેશભાઈ બારૈયા
  • અરવિદભાઈ
  • પ્રકાશભાઈ કોળી
  • ખુમાનસિંહ પરમાર
  • કિશોર ભાઈ પટેલ
  • ગોવિદભાઈ વસાવા
  • ચદુભાઈ ડામોર

પગમાં ફેક્ચર થયેલા જવાનો

  • રહિમખાન મલેક
  • ઉમેશસિંહ બારિચા
  • અર્જુનસિંહ બગડા
  • કુંજન સિંહ કોલચા

આ પણ વાંચોઃપીપોદ્રા નજીક ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી, જૂઓ અકસ્માતનો લાઈવ વીડિયો

ABOUT THE AUTHOR

...view details