ગુજરાત

gujarat

Surat Agnikand: એથર કેમિકલ અગ્નિકાંડમાં દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે સુરત શહેર કૉંગ્રેસ સમિતિના ધરણાં, 15 કાર્યકર્તાઓની અટકાયત

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 3:02 PM IST

Updated : Dec 19, 2023, 4:12 PM IST

બહુ ચર્ચિત એવા સુરતના એથર કેમિકલ અગ્નિકાંડમાં 10 કામદારોએ જીવ ગુમાવ્યો છે. આ મામલે દોષીતો સામે કકડ કાયદાકીય પગલા લેવાય તેવી માંગ સુરત શહેર કૉંગ્રેસ સમિતિ કરી રહી છે. Ether Chemical Company 10 Died Surat Pradesh Congress Committee

એથર કેમિકલ અગ્નિકાંડમાં દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે સુરત શહેર કૉંગ્રેસ સમિતિના ધરણાં
એથર કેમિકલ અગ્નિકાંડમાં દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે સુરત શહેર કૉંગ્રેસ સમિતિના ધરણાં

પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની ટીંગાટોળી કરી

સુરતઃ શહેરની સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર કેમિકલ અગ્નિકાંડમાં 10 કામદારોના કરુણ મૃત્યુ નિપજ્યાં છે. આ સમગ્ર મામલે દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કૉંગ્રેસ કરી રહી છે. સુરત શહેર કૉંગ્રેસ સમિતિએ જીપીસીબીની પાંડેસરા ખાતેની પ્રાંત કચેરી સમક્ષ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોલીસે આ વિરોધ પ્રદર્શન અટકાવવા 15 કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

15 કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

10 કામદારોના કમોતઃ એથર કેમિકલ કંપનીના અગ્નિકાંડમાં 10 નિર્દોષ કામદારોનો જીવ હોમાઈ ગયો છે. હજૂ સુધી આ અગ્નિકાંડની પોલીસ ફરિયાદ થઈ નથી. આ મામલે દોષીતોને બચાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. સુરત શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા જીપીસીબીના અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. તેથી સમિતિના પ્રમુખ અને કાર્યકરો દ્વારા પાંડેસરા ખાતે આવેલ જીપીસીબીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં બેનર પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરીને કૉંગ્રેસે દોષીતોને કડક સજા કરીને મૃતકોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ અગ્નિકાંડમાં કંપનીના માલિકોની સાથે સરકારનો વિભાગ જીપીસીબી પણ એટલો જ જવાબદાર હોવાનું કૉંગ્રેસ જણાવે છે. પોલીસે આ વિરોધ પ્રદર્શન ડામવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કૉંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી હતી. પોલીસે કુલ 15 કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.

આ સમગ્ર ઘટનાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અકસ્માત ગણાવી રહ્યું છે. જે અત્યંત દુઃખદ બાબત છે. અમારી માંગણી છે કે સરકાર હાઈ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીટની રચના કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવે. જીપીસીબીના અધિકારીઓ દ્વારા પણ દોષીતો વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. હું જીપીસીબીના અધિકારીઓના રાજીનામાની માંગણી કરું છું...હસમુખ દેસાઈ(પ્રમુખ, સુરત શહેર કૉંગ્રેસ સમિતિ)

  1. એક ધડાકો અને 7 જિંંદગી હોમાઈ, સુરતની સચિન જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની દર્દનાક ઘટના
  2. સુરતની એથર કંપની મૃતકોના પરિવારને 50 લાખ અને ઈજાગ્રસ્તોને 25 લાખની સહાય આપશે
Last Updated : Dec 19, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details