ગુજરાત

gujarat

કરારા જવાબ મિલેગા, કંચન જરીવાલા મામલે ભાજપનો AAP પર વળતો પ્રહાર

By

Published : Nov 17, 2022, 3:18 PM IST

Updated : Nov 17, 2022, 3:26 PM IST

સુરતમાં પૂર્વ બેઠક (Surat East Assembly Seat) પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (AAP Candidate Kanchan Jariwala) ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું (Candidate Kanchan Jariwala Nomination Form withdraw) છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તો હવે ભાજપે આમ આદમી પાર્ટી પર વળતા (BJP allegation on AAP) પ્રહાર કર્યા છે.

કરારા જવાબ મિલેગા, કંચન જરીવાલા મામલે ભાજપનો AAP પર વળતો પ્રહાર
કરારા જવાબ મિલેગા, કંચન જરીવાલા મામલે ભાજપનો AAP પર વળતો પ્રહાર

સુરતરાજ્યમાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષો વચ્ચે જોરદાર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં એક એવી ઘટના બની છે, જેના કારણેે રાજકારણમાં ફરી એક વાર ભૂકંપ આવ્યો છે. અહીં શહેરની પૂર્વ વિધાનસભા બેઠક (Surat East Assembly Seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (AAP Candidate Kanchan Jariwala) ઉમેદવારીપત્ર આખરે પરત ખેંચી લીધું (Candidate Kanchan Jariwala Nomination Form) છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) આ અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. એટલે ભાજપના પ્રવક્તાએ હવે આ મામલે આપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

ભાજપ પર પાયાવિહોણા આક્ષેપો ભાજપના દક્ષિણ ગુજરાતના પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલે (Surat BJP Spokesperson Jagdish Patel) જણાવ્યું હતું કે, આપના કંચન જરીવાલાએ (AAP Candidate Kanchan Jariwala) મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ પાસેથી પાર્ટી અને કાર્યકર્તાઓ દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. તથા તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આના કારણે તેમણે સ્વેચ્છાએ કોઈના દબાણ વગર આ નિર્ણય લીધો છે. તેમ છતાં પણ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (manish sisodia deputy cm delhi) દ્વારા દિલ્હી ખાતે ચૂંટણી આયોગના કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપ પર પાયાવિહોણા આક્ષેપો

પાર્ટીને કોઇ લેવા દેવા નથીઆ સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલે (Surat BJP Spokesperson Jagdish Patel) જણાવ્યું હતું કે, સુરત ખાતે પણ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી રાઘવ ચઢ્ઢા (raghav chadha aap) દ્વારા ચૂંટણી આયોગ કાર્યાલય પર રિજનલ ઓફિસર પર ગેરવ્યાજબી પ્રેશર ટેકનિક અપનાવી ફોર્મ રદ ન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) આ પાયાવિહોણા અને નિમ્ન સ્તરના આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ પ્રસંગ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઇ પણ પ્રકારની લેવાદેવા નથી તેમ સ્પષ્ટ કરે છે.

Last Updated : Nov 17, 2022, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details