ETV Bharat / state

અદ્રશ્ય થયેલા AAPના ઉમેદવારે માગી પોલીસ સુરક્ષા, કમિશનરને લખ્યો પત્ર

author img

By

Published : Nov 17, 2022, 12:25 PM IST

Updated : Nov 17, 2022, 2:23 PM IST

AAPના ગાયબ થયેલા ઉમેદવાર કંચન જરીવાલાએ માગી પોલીસ સુરક્ષા, નોમિનેશન પરત ખેંચી કમિશનરને લખ્યો પત્ર
AAPના ગાયબ થયેલા ઉમેદવાર કંચન જરીવાલાએ માગી પોલીસ સુરક્ષા, નોમિનેશન પરત ખેંચી કમિશનરને લખ્યો પત્ર

સુરતમાં પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (aap candidate kanchan jariwala) નોમિનેશન પાછું ખેંચ્યા પછી પોલીસ કમિશનરને અરજી (Surat Police Commissioner) કરી હતી. તેમણે આ અરજીમાં પોલીસ સુરક્ષા આપવાની માગ (kanchan jariwala demand for police protection) કરી હતી. તેઓ મંગળવારે રાત્રે જ અચાનગ ગાયબ ગઈ ગયા હતા. ત્યારે પાર્ટીએ તેમનું અપહરણ થયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

સુરત ચૂંટણી પહેલા (Gujarat Election 2022) રાજકીય પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. તેવામાં સુરતની પૂર્વ વિધાનસભા બેઠક (Surat East Assembly seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (aap candidate kanchan jariwala) નોમિનેશન પરત ખેંચી લીધું છે. તેઓ મંગળવારે રાતથી જ ગાયબ થઈ ગયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ તેમનું અપહરણ થયું હોવાનો દાવો કર્યો હતો. ત્યારે સમગ્ર શહેરમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.

મંગળવારે થયા હતા ગાયબ મંગળવારે રાત્રે અચાનક ગાયબ થયેલા આપના આ ઉમેદવાર બુધવારે સવારે અચાનક સામે આવ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા ચૂંટણી અધિકારીની કચેરીએ (Gujarat Election 2022) પહોંચી પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. સાથે જ તેમણે જીવનું જોખમ હોવાનું જણાવી પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પત્ર લખી પોલીસ પ્રોટેક્શન માગ્યું (kanchan jariwala demand for police protection) હતું.

મંગળવારે થયા હતા ગાયબ

રાજકીય આક્ષેપોનો દોર શરૂ આ સાથે જ સુરતમાં રાજકીય ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. તેમણે પોલીસ કમિશનરને લખેલી અરજીમાં સ્પષ્ટ લખ્યું હતું કે, કૉંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મને મારી નાખે તેવો ડર છે. લેખિતમાં તેમને પોલીસ કમિશનરને (Surat Police Commissioner) સુરક્ષા માગવા (kanchan jariwala demand for police protection) માટેની અરજી કરી છે. આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ (aap candidate kanchan jariwala) અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરી દીધો છે. નોમિનેશન પાછું ખેંચનાર આપના ઉમેદવાર પરિવાર સહિત ઘરે નથી. ઘરે હજુ પણ આમ આદમી પાર્ટી બેનર અને ઝંડો છે.

  • गुंडों और पुलिस के दम पर उम्मीदवारों को अगवा करके उनका नामांकन वापिस करवाया जा रहा है।

    इस क़िस्म की सरेआम गुंडागर्दी भारत में कभी नहीं देखी गयी। फिर चुनाव का क्या मतलब रह गया? फिर तो जनतंत्र ख़त्म है। https://t.co/wff4CMihx8

    — Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજકીય ભૂકંપ આપને જણાવી દઈએ કે, સુરત પૂર્વ વિધાનસભા બેઠકને (Surat East Assembly seat) લઈ ગઈકાલે (બુધવારે) હાઈવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો હતું. ગઈકાલે નોમિનેશન ખેંચવાની તારીખ હોવાના કારણે તમામની નજર સરકારી કચેરી પર હતી. ત્યારે એક દિવસ પહેલા સુરત પૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાનો (aap candidate kanchan jariwala) ફોન સ્વીચ ઑફ કરી પરિવાર સાથે ગુમ થઈ ગયા હતા. તો આપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શોધી રહ્યા હતા. તે દરમિયાન બીજા દિવસે તેઓ સુરતના બહુમાળી સ્થિત પ્રાન્ત અધિકારીની ઓફિસમાં પહોંચીને તેમણે પોતાનું નોમિનેશન પાછું ખેંચી લેતા ગુજરાતમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે.

સમાજના કહેવાથી નોમિનેશન પરત ખેંચ્યું જોકે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એમ સજી રહ્યા હતા કે, કંચન જરીવાલાનું (aap candidate kanchan jariwala) અપહરણ થઈ ગયું છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા હતા કે, તેમના ઉમેદવારનું અપહરણ કરી બળજબરીથી પોલીસની હાજરીમાં ગન પોઇન્ટ પર નોમિનેશન પાછુ ખેંચવામાં આવ્યું છે. આ વચ્ચે અચાનક જ 24 કલાકથી લાપતા કંચન જરીવાલા મીડિયા સમક્ષ આવી ગયા હતા અને તેમણે (aap candidate kanchan jariwala) જણાવ્યું હતું કે, તેમનું અપહરણ કરાયું નથી અને કોઈ પણ પ્રકારની બળજબરી તેમની સાથે કરાવી આવી નથી. તેઓ જ્યારે પણ પ્રચારમાં જતા હતા, ત્યારે સમાજના લોકો ટીકા ટિપ્પણી કરતા હતા અને તેમને કહેતા હતા કે, તેઓ દેશવિરોધી પક્ષમાં છે. સમાજના કહેવા પર હું નોમિનેશન પાછું લીધું છે.

રાઘવ ચઢ્ઢાએ કર્યા હતા આક્ષેપ તો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી તેઓ પાર્ટી માટે સમર્પિત હતા અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા. ચોક્કસથી તેમનું અપહરણ કરીને પોલીસની હાજરીમાં ગન પોઇન્ટ પર (Raghav Chadha said kidnapping at gunpoint) નોમિનેશન પાછું લીધું છે અને વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેમની સાથે બળજબરી થઈ રહી છે. તેઓ પોતે નોમિનેશન પાછું લઈ શકે તેમ નથી. ચોક્કસથી ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી છે અને ભાજપના ગુંડાઓ દ્વારા સમગ્ર કાર્ય કરવામાં આવ્યું છે. અમે ચૂંટણી અધિકારીને મળીને દરખાસ્ત કરીશું કે ફોર્મ પાછું ખેંચવામાં નહીં આવે.

Last Updated :Nov 17, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.