ગુજરાત

gujarat

સાબરકાંઠાના ઈડરીયા ગઢને પ્રવાસન સ્થળમાં સમાવિષ્ટ કરાયો

By

Published : Dec 31, 2020, 8:05 AM IST

સમગ્ર ભારતમાં સૌથી વધારે પ્રખ્યાત બનેલા ઇડરગઢ ને સરકાર દ્વારા પ્રવાસન ધામમાં સમાવવાના પગે શહેર સહિત જિલ્લાભરમાં ખુશીનો માહોલ છવાયો છે જોકે આગામી સમયમાં આ મામલે સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ અપાય તો ઇડર ગઢ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય ઓળખ બની શકે તેમ છે.
સાબરકાંઠા
સાબરકાંઠા

  • ઇડર ગઢને પ્રવાસન ધામમાં સમાવાયો
  • સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને આભાર પત્ર લખાયો
  • આગામી સમયમાં જિલ્લાની બનશે ઓળખ
  • ઇતિહાસના અમર વારસો બચવાના નિર્ણયને આવકાર

સાબરકાંઠા : જિલ્લાનો અમર વારસો ગણાતા ઈડરીયા ગઢની ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ધામ નિર્ણય લેવાતા ખુશીનો માહોલ છવાયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી ખંડેરા ઈતિહાસને અમર વારસો આપી દેવાનો સ્થાનીય હિતકારી સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તાજેતરમાં મળેલી બેઠકમાં પણ કોઈ પણ ભોગે સંજોગે ને બચાવવા માટે એકત્રિત થયા હતા. તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા ઇડરગઢની પ્રવાસન ધામમાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.

ઇતિહાસના અમર વારસાની થશે જાળવણી

ક્ષત્રિયની શાન ગણાતા મહારાણા પ્રતાપની સાસરી ઇડરગઢ હતી.જો કે દિન પ્રતિદિન સ્થાનીય જાળવણીના અભાવે ઇડરગઢ તૂટવાની અણી પર હતો. એવામાં ખનીજ માફિયાઓ એ ઇડર ગઢનું પતન નોતરે હતું. આ મામલે કેટલીય વાર રજૂઆતો થઇ હોવા છતાં આજદિન સુધી કોઈ પગલું લેવાયું હતું. ત્યાં સંજોગે ક્ષત્રિય હિતકારિણી સભા દ્વારા ઇડરગઢની રાજકોટમાં બક્ષિસ આપી દેવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ઇડર ગઢ ને પ્રવાસન ધામમાં સમાવવાનો નિર્ણય લેવાયો છે.

સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાન ને કરાઈ રજૂઆત

ઇડરનો સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાએ ઇડરગઢ બચાવવાના મામલે તત્કાલીન સમયે ગુજરાતના મુખ્યપ્રધાન રજૂઆત કરી હતી. હાલમાં આ મામલે રાજ્ય સરકાર દ્વારા ઇડરગઢની પ્રવાસન ધામમાં સમાવેલ ના નિર્ણયને પગલે તેમને મુખ્યપ્રધાનને આભાર પત્ર લખી આગામી સમયમાં ઇડરગઢ મામલે સંપૂર્ણ સુવિધાઓ મળી રહે તે માટેની વિનંતી કરવામાં આવે છે.

સાબરકાંઠાની બનશે શાન

ઇડરગઢ સમગ્ર ભારતમાં વિવિધ પાસાઓ માટે જાણીતો છે. તેમજ ક્ષત્રિયની શાન ગણાતા મહારાણા પ્રતાપ સાથે જોડાયેલો હોવાના પગલે દરેક માટે મહત્ત્વનો બની રહે છે. ખનીજ માફિયાઓની ખનીજ ચોરી ને પગલે ઈડર ગઢ નું અસ્તિત્વ જોખમમાં આવી હતું.જોકે હજારો રજૂઆત બાદ સરકાર દ્વારા પ્રવાસન ધામમાં સમાના પગારની સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત માટે મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટ બાદ હવે ઈડરિયો ગઢ પણ વિશ્વા થી વિરાસતનો અનેરો આનંદ આપી શકવા સમર્થ બની રહેતો નહીં.

આગામી સમયમાં આ મામલે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપશે. તો વિસરાતી વિરાસત ફરી એકવાર ઇતિહાસનો અમર વારસો બની શકવા સમર્થ છે.

ABOUT THE AUTHOR

...view details