ગુજરાત

gujarat

રાજકોટમાં કોને મળી શકે છે પ્રધાન પદ? જાણો આ અહેવાલમાં

By

Published : Dec 10, 2022, 5:21 PM IST

રાજકોટએ ગુજરાતને બે મુખ્યપ્રધાન (Cabinet Minister From Rajkot assembly seat) આપ્યા છે. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠકએ (Rajkot West Seat) ભાજપનું ઘર ગણવામાં આવે છે, ત્યારે આ વખતે પણ દર્શિતા શાહએ વિજય રૂપાણીનો રેકોર્ડ તોડી 1,38,687 મત મેળવી વિજેતા થયા છે. પરંતુ અહી હવે હવે કયા નવા ચહેરાને સરકારમાં સ્થાન મળશે તે જોવાનું રહ્યું.

રાજકોટમાં કોને મળી શકે છે પ્રધાન પદ?
રાજકોટમાં કોને મળી શકે છે પ્રધાન પદ?

રાજકોટજિલ્લાની આઠ બેઠકો (Cabinet Minister From Rajkot assembly seat) પર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે હવે ચર્ચાઓએવી શરૂ થઈ છે કે, રાજકોટજિલ્લામાંથી કયા ધારાસભ્યને પ્રધાન પદ મળી શકે છે. જેમાં સૌથી પહેલું નામ જો કોઈ ચર્ચામાં હોય તો, તે છે રાજકોટ પશ્ચિમ બેઠક (Rajkot West Seat) પરથી 1 લાખ કરતા વધુની લીડથી જીત મેળવનાર દર્શિતા શાહનુ. તેમને ભાજપની નવી સરકારમાં મંત્રીમંડળ પ્રધાન પદ મળે તેવી શક્યતાઓ સેવાઈરહી છે.

ભાનુબેન બાબરીયાનું નામ ચર્ચામાંરાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક(Rajkot Rural Assembly Seat) પરથી સતત ત્રણ વખત ધારાસભ્યબનેલા ભાનુબેન બાબરીયાનું નામ પણ પ્રધાન પદની રેસમાં જોવા મળી રહ્યું છે. જ્યારે ભાનુબેન બાબરીયા સિડ્યુલ કાસ્ટ બેઠક (Schedule cast meeting) પરથી જીત્યા છે. અને સતત ત્રીજીવાર તેઓ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વિજય બન્યા છે. તેઓમાં આ વખતે તેમને 40 હજાર કરતાં વધુની લીડ મળી છે. ત્યારે ભાનુબેન બાબરીયાને પણ પ્રધાન પદ મળે તેવી શક્યતાઓ છે.

બે દિગ્ગજ નેતાઓરાજકોટ જિલ્લાની(Rajkot assembly seat) વાત કરવામાં આવે તો રાજકોટના જસદણમાંથી કુંવરજી બાવળીયા પણ આ વખતની ચૂંટણીમાં જંગી મતોની લીડથી જીત્યા છે. જ્યારે તેઓ રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. એવામાં ફરી નવી સરકાર બને તો તેમને પ્રધાન પદ મળવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બાવડીયા કોળી જ્ઞાતિનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એવામાં કુંવરજી બાવળિયાને ફરી પ્રધાન પદ મળે તો નવાઈ નથી.

જયેશ રાદડિયાને પ્રધાન પદજેતપુર વિધાનસભા બેઠક(Jetpur assembly seat) પરથી સતત જીતતા આવતા જયેશ રાદડિયાને પણ નવી સરકારમાં મંત્રી પદ મળે તેવી શક્યતાઓ છે. જ્યારે જયેશ રાદડિયા રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. એવામાં ફરી તેઓ વર્ષ 2022ની ચૂંટણીમાં જંગી મોતોની લીડથી જીત્યા છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતા અને યુવા નેતા તરીકેની છાપ ધરાવે છે. એવામાં નવી સરકારમાં જયેશ રાદડિયાને પણ મહત્વની જવાબદારી સોંપાય તેવી શક્યતાઓ છે.

રાજકોટે બે મુખ્યપ્રધાન આપ્યારાજકોટે(Rajkot assembly seat) અત્યાર સુધીમાં રાજ્યને બે મુખ્યપ્રધાન આપ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી રાજકોટમાંથી ચૂંટણી લડ્યા હતા.ગુજરાતના સીએમ પદ પર બિરાજ્યા હતાં. ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ રાજકોટમાંથી જ ચૂંટાઈને સીએમ બન્યા હતા. એવામાં હાલ રાજકોટમાં આઠેય બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે. ત્યારે હવે કયા નવા ચહેરાને સરકારમાં સ્થાન મળશે તે જોવાનું રહ્યું.

અરવિંદ રૈયાણીને પ્રધાન પદ સોપાયુંભુપેન્દ્ર પટેલની સરકારની વાત કરવામાં આવે તો ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન પદ સોપાયું હતું. ત્યારે આ વખતે તેમની ટિકિટ કપાઈ છે. રાજકોટ જિલ્લામાં જીતેલા ધારાસભ્યોમાંથી કોને મળી શકે છે પ્રધાન પદ.

ABOUT THE AUTHOR

...view details