ગુજરાત

gujarat

નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું!

By

Published : Jan 1, 2023, 8:18 PM IST

નવા વર્ષની શરૂઆત થતા જ એક માઠા વાવડ સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.રાજકોટમાંથી પેપર ફૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ પેપર કોણે અને કેવી રીતે વાયરલ કર્યું એની કોઈ વિગત (Rajkot paper leak private school) સામે આવી નથી. પણ આ ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે.

નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું!
નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું!

નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું!

રાજકોટ:નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં ખાનગી (Rajkot paper leak private school) શાળાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. શાળામાં લેવાનાર આંતરિક પરીક્ષાનું પેપર હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. આ પેપર કોણે વાયરલ કર્યું છે તે હજુ સુધી સામે આવ્યો નથી પરંતુ ધોરણ 11નું આ પેપર છે. જ્યારે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારની ભરતીના પેપર ફૂટવાની પણ ઘટનાઓ સામે આવી છે. એવામાં રાજકોટમાં ખાનગી શાળાનું પેપર ફૂટવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાની મા.ઉ.મા શાળાના કર્મચારીઓના વહીવટી અધિવેશન બેઠક યોજાઈ

ધો.11નું પેપર:રાજકોટની ખાનગી શાળા શ્રદ્ધા વિદ્યાલયના ધો. 11ના બે પેપર ફૂટ્યા છે. આ બંને પેપર 50-50 માર્કના છે. જ્યારે આ પેપર આગામી તારીખ 3 અને 4 જાન્યુઆરીએ લેવાના હતા. પરંતુ આ પેપર લેવાય તે પહેલા જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જ્યારે સોશિયલ મીડિયામાં પેપર આવતા અનેક સવાલો શાળા તંત્ર પર પણ ઊભા થઈ રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જ્યારે ધોરણ 11ના બે પેપર એક સાથે ફૂટવાની ઘટના સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

શું કહે છે સંચાલક: ખાનગી શાળામાં પેપર લીક થવાની ઘટના અંગે શ્રી શ્રદ્ધા વિદ્યાલયના શાળા સંચાલક રાજકુમાર ઉપાધ્યાએ આ અંગે જણાવ્યું હતું કે અમારી શાળામાં હજુ સુધી ઇકોનોમિક્સ અને બીએનું પેપર તૈયાર કરવામાં આવ્યું જ નથી. તો પેપર કેવી રીતના ફૂટે, જ્યારે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ કરવાની ઘટનાને લઈને જણાવ્યું હતું કે અમારી શાળાને બદનામ કરવાનું કોઈનું કાવતરું છે. આ સમગ્ર મામલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. જ્યારે આગામી દિવસોમાં અમારી શાળાનું નામ ખરાબ કરનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજાધિરાજના દર્શન કરી નવા વર્ષને વધાવવા આવનાર ભાવિકોની સગવડ માટે ડાકોર સજ્જ

ચોખવટ નહીં: જોકે, ખાનગી શાળાના પેપરને લઈને મામલો સામે આવ્યો હોય એવો આ પહેલો છબરડો નથી. આ પહેલા પણ પરીક્ષાના ટાઈમટેબલ અને પેપરને લઈને વાલીઓ અને સંચાલકો વચ્ચે અનેક પ્રકારની એવી મગજમારી સામે આવી ચૂકી છે. જોકે, આ કેસમાં હજું સુધી શિક્ષણાધિકારીએ કોઈ સ્કૂલ કે વ્યક્તિઓ અંગે કોઈ પ્રકારની ચોખવટ કરી નથી.

ABOUT THE AUTHOR

...view details