ગુજરાત

gujarat

Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજતાર અડતા મૃત્યું

By

Published : Mar 22, 2023, 7:33 PM IST

નવસારીમાં મંદિરની અગાશી પર સફાઈ કરતા એક મજૂરનું મોત થયું હતું. આ મજૂર આકસ્મિક રીતે વીજલાઈનને અડી ગયો હતો. તેના કારણે તેણે મોતનો ભેટો થયો હતો.

Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજ તારને અડી જતાં થયું મોત
Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજ તારને અડી જતાં થયું મોત

મંદિરની સફાઈ દરમિયાન મજૂરે જીવ ગુમાવ્યો

નવસારીઃજિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કુદગરા ફળિયામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરની અગાશી પર સફાઈ કરતા સમયે એક મજૂરનું મોત થયું હતું. આ મજૂર મંદિરની ઉપરની વીજલાઈનને આકસ્મિક રીતે અડી જતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેના કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચોઃSanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત

મંદિરની સફાઈ દરમિયાન મજૂરે જીવ ગુમાવ્યોઃ ઘણી વાર બેદરકારીની કિંમત માણસે પોતાનો જીવ આપી ચૂકવવી પડતી હોય છે. તેનો જીવંત દાખલો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખરસાડ ગામે બનેલી ઘટનાથી સાબિત થાય છે. જિલ્લાના જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલું ખરસાડ ગામના કોડ ગરા ફળિયામાં ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખરસાડ ગામના લોકોની મોટી આસ્થા બંધાઈ છે. તેથી ગામ લોકો અને અન્ય બહારથી આવતા લોકો આ મંદિરમાં સેવાના રૂપે કોઈ પણ કાર્ય કરતા હોય છે, જેમાં મંદિરની સાફ-સફાઈ રખ રખાવ તેવી અન્ય સેવાઓ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે તથા મંદિરના રખ રખાવો અને સફાઈ માટે મજૂરો પણ બોલાવવામાં આવતા હોય છે.

આ પણ વાંચોઃRajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ

આકસ્મિક કરન્ટ લાગ્યોઃકપરાડાના લિખવડ ગામના ડુંગળી ફળિયામાં રહેતા ભગુભાઈ દેવજીભાઈ પગી (ઉં.વ. 38) વર્ષ જેઓ પણ મંદિરમાં સાફસફાઈ અને રખ રખાવોના કામ માટે એક મહિનાથી ખડશાળ ગામમાં રહી મંદિરની સાફસફાઈ નિત્યક્રમ મુજબ કરતા હતા. ગત રોજ પણ તેઓ સાંજના સમયે ખોડિયાર માતાજીના મંદિરની અગાશીની સાફસફાઈ કરવા અગાશી ઉપર ગયા હતા. તે દરમિયાન તેઓ પાણીથી અગાશી ધોઈ રહ્યા હતા. ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનને આકસ્મિક રીતે અડી જતા તેઓને ઈલેક્ટ્રીક કરન્ટ લાગ્યો હતો. તેના કારણે જ મોત થયું હતું.

ગામમાં શોકનું મોજું ફરી વળ્યુંઃ મંદિરમાં માતાજી સફાઈ દરમિયાન આ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને જલાલપુર પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મંદિરની નજીક આવેલા વીજ લાઈનને ખસેડવા માટે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ઘણી વાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આ વીજ લાઈન ખસેડવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details