ગુજરાત

gujarat

UN મહાસચિવે દેશના સૌપ્રથમ સોલાર ગામ મોઢેરાની લીધી મુલાકાત, સ્થાનિકો સાથે કર્યો સંવાદ

By

Published : Oct 21, 2022, 2:24 PM IST

Updated : Oct 21, 2022, 2:34 PM IST

મહેસાણા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (un secretary general antonio guterres) ભારત પ્રવાસ અંતર્ગત મહેસાણા જિલ્લામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત (modhera sun temple) લીધી હતી.

UN મહાસચિવે દેશના સૌપ્રથમ સોલાર ગામ મોઢેરાની લીધી મુલાકાત, સ્થાનિકો સાથે કર્યો સંવાદ
UN મહાસચિવે દેશના સૌપ્રથમ સોલાર ગામ મોઢેરાની લીધી મુલાકાત, સ્થાનિકો સાથે કર્યો સંવાદ

મહેસાણા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (un secretary general antonio guterres) અત્યારે ભારત પ્રવાસે છે. ત્યારે ગુરૂવારે તેમણે મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત (modhera sun temple) લીધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, અહીં લોકો સૂર્યઊર્જાના (modhera solar village) ઉપયોગ થકી પ્રકૃતિને માનવજીવન સાથે જોડે છે.

UN મહાસચિવ થયા પ્રભાવિત સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (un secretary general antonio guterres) સૂર્યમંદિર નિહાળીને (modhera sun temple) અને મોઢેરા ગામના લોકો વિજળી માટે 24 કલાકસૌર ઊર્જાનો ઉપયોગ કરે છે. તે વાત જાણીને પ્રભાવિત થયા હતા. તેમણે સૂર્યમંદિર (modhera sun temple) વિશે કમેન્ટ બૂકમાં કમેન્ટ પણ કરી હતી.

કમેન્ટ બુકમાં લખી કમેન્ટ કમેન્ટ બુકમાં તેમણે લખ્યું હતું કે, સૂર્ય એ જીવન છે. સૂર્ય એ તમામ ચીજોનું ઉદ્ભવ સ્થાન છે. હું એ તમામ લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણએ હજારો વર્ષો પહેલા આ સૂર્યમંદિરનું નિર્માણ (modhera sun temple) કર્યું. અહીંના લોકો સૂર્યદેવના આ મંદિરની આસપાસના વિસ્તારમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે અને તેના થકી પ્રકૃતિને માનવજીવન સાથે જોડે છે.

મોઢેરાના સ્થાનિકો સાથે કરી વાતચીત સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે (un secretary general antonio guterres) મોઢેરાના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી હતી. મોઢેરા ગામમાં 24 કલાક સૌર ઊર્જા આધારિત વિજળીથી ગામની ઊર્જા (modhera solar village) જરૂરિયાત પૂર્ણ થાય છે. તે વિશે જાણ્યું હતું. તેમણે સૌર ઊર્જાના આ સમગ્ર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. સાથે જ મોઢેરા ગામમાં સફળતાપૂર્વક સોલાર રૂફટોપ પ્રોજેક્ટ (Solar Rooftop Project) દ્વારા વીજળીની વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતી. તેમના આ પ્રવાસ દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના (Statue of Unity) પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત રાષ્ટ્ર તેમ જ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Oct 21, 2022, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details