કચ્છઃ રાજ્ય સરકાર દ્વારા ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોના વળતર મુદ્દે કરેલા પરિપત્રને અવગણીને નર્મદા નિગમના (Oppose to decision of Narmada Corporation in Kutch ) અધિકારીઓએ કરેલા નિર્ણય સામે મુન્દ્રા અને માંડવીના ખેડૂતો હાઇકોર્ટમાં જવાની (Farmers writ in High Court) તૈયારીમાં છે. ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોના નામ માત્રની રકમ નકકી કરતા ખેડૂતોમાં અસંતોષ સાથે રોષની (Unrest among Kutch farmers) લાગણી ફેલાઇ છે. અંદાજપત્ર મુજબ 29 કરોડના ચૂકવણાને બદલે 2.50 કરોડ ચૂકવવાની તૈયારી કરતા ખેડૂતો હવે હાઈકોર્ટમાં જશે.
2015 થી 2021 સુધીમાં સેંકડો હેકટર જમીન સંપાદિત થઇ
કચ્છ જિલ્લાના મુન્દ્રા અને માંડવી તાલુકાના ખેડુતોની જમીન સંપાદન અધિનિયમ 2013ના નવા કાયદા મુજબ કચ્છ શાખા નહેરના બાંધકામ હેતુ વર્ષ 2015 થી 2021 સુધીમાં સેંકડો હેકટર જમીન સંપાદન કરવામાં આવેલું છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે સંપાદિત કરવામાં આવતી જમીન ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોનું વળતર વર્ષ 1993ના જૂના ભાવે ચૂકવવામાં આવતું હતું. માટે ખેડુત આલમમાં રોષની લાગણી પ્રગટી હતી. આથી જમીનમાં આવતા ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોનું કેટલું વળતર ચુકવવું તે રાજ્ય સ્તરે નક્કી કરવા વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી.
સાત વર્ષથી નીચેની ઉમરના અને ઉપરની ઉંમરના વૃક્ષોના ભાવ કરાયા હતા નક્કી
આ કમિટી દ્વારા ખાસ કરીને ફળાઉ ઝાડના રોપા ,કલમની વધતી જતી કિંમત અને રાસાયણિક ખાતરો, જંતુ નાશક દવાઓ અને તેના વેતન ધારા હેઠળ દૈનિક ખેત મજુરોના વેતનમાં થયેલ વધારો તેમજ વૃક્ષો ઉછેર માટે દિનપ્રતિદિન વધતા જતા ખર્ચાઓને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારના મહેસુલ વિભાગે તારીખ 12મી જાન્યુઆરી 2021ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. તેમાં 1993મા સાત વર્ષથી નીચેની ઉંમરના આંબાના ભાવ રૂ 120 અને સાત વર્ષથી વધુ ઉંમરના આંબાના ભાવ આંબાની ઘેરાવો ધ્યાનમાં લઈને રૂ 600 થી 800 નક્કી કરેલો જ્યારે 2021ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના કેસર આંબાના રૂ 14000 અને સાત વર્ષથી ઉપરના કેસર આંબાના ભાવ 40000 નક્કી કરવામાં આવ્યું હતું.
29 કરોડના ચૂકવણાંને બદલે માત્ર 2.50 કરોડનું ચૂકવણું જ કરાશે
નવા કાયદા પ્રમાણે ખેડુતોને મળવાપાત્ર ભાવ હતાં પરંતુ ખાસ જમીન સંપાદન અધિકારીના મતે કલમ 11 ની સ્થળ પ્રસિદ્ધિની આખરી તારીખે જે પરિપત્રો કે ઠરાવો ઉપલબ્ધ હતાં તે પ્રમાણે વળતર ચુકવવાનું થાય તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો. આથી જે ખેડુતોએ 2015માં નર્મદા નિગમ અને સરકારના વિશાળ હિતમાં જમીન રાજીખુશીથી આપી તેવા લાગણીશીલ અને ભોળા ખેડુતોને તો વર્ષ 1993ના ભાવો જ મળશે. વર્ષ 2021ના પરિપત્ર મુજબ નર્મદા નિગમના (Oppose to decision of Narmada Corporation in Kutch ) અધિકારીઓએ અંદાજપત્રક તૈયાર કર્યું તે મુજબ આશરે 29 કરોડ રૂપિયા ચૂકવવાના થાય. તેના બદલે હવે ફકત રૂ 2.50 કરોડ રૂપિયા જ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી નર્મદા નિગમના અધિકારીઓએ કચ્છના ખેડુતો સાથે અન્યાય (Unrest among Kutch farmers) કર્યો છે તેવા આક્ષેપો કચ્છના ખેડૂતો કરી રહ્યા છે.
ઝાડની કિંમતમા સુધારો કરવા કલેકટરે 2015માં એક કમિટી રચી હતી