ગુજરાત

gujarat

સૌથી મોટી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિમાં દેખાશે રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

By

Published : Sep 1, 2022, 8:31 AM IST

કચ્છમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. 14 ફૂટ ઊંચી આ મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે. અહીં ગણેશોત્સવ દરમિયાન વરસાદ પડે તો પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. Eco Friendly Ganesha Idol, Ganesh Festival 2022.

સૌથી મોટી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિમાં દેખાશે રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
સૌથી મોટી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિમાં દેખાશે રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

કચ્છ ભૂજના ટિન સિટી ગ્રાઉન્ડ (Tin City Ground kutch) ખાતે 14 ફૂટ ઊંચી ફૂટ ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું (Eco Friendly Ganesha Idol) સ્થાપન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ કચ્છની સૌથી મોટી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ છે. ક્ચ્છ નહીં, પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ ભૂજમાં (Eco Friendly Ganesha Idol) સ્થાપિત કરવામાં આવી છે.

ફ્રેન્ડ્સ ગૃપે બનાવી મૂર્તિ

ફ્રેન્ડ્સ ગૃપે બનાવી મૂર્તિ સૌથી મોટી મૂર્તિ (big idol of ganesha in kutch gujarat) ફ્રેન્ડ્સ ગૃપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સતત 22મા વર્ષે અમારી ગૃપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની 14 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીથી બનાવવામાં આવી છે. મૂર્તિ માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો (Ganesh Festival 2022) છે. જ્યારે મૂર્તિમાં જલસૃષ્ટીને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે ઈકોફ્રેન્ડલી (Eco Friendly Ganesha Idol) અને વેજિટેબલ રંગોથી બનાવવામાં આવી છે.

વિશાળ પંડાલમાં જોવા મળશે ત્રિવેણી સંગમ

આ પણ વાંચોઅમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી

વિશાળ પંડાલમાં જોવા મળશે ત્રિવેણી સંગમઆ ગણેશજીના દર્શન (Ganesh Festival 2022) માટે ભક્તો ભૂજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી ઉમટી (Eco Friendly Ganesha Idol) પડે છે. દર્શનાર્થીઓ માટે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજીત 10,000 જેટલા ભાવિભક્તોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

આ પણ વાંચોઘર છે કે મંગલમૂર્તિનું મ્યુઝિયમ, 600થી વધારે મૂર્તિનું ક્લેક્શન

મહાઆરતી સાથે જુદાં જુદાં કાર્યક્રમોનું આયોજનગણેશોત્સવમાં દરરોજ મહાઆરતી સાથે અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. તો રાસગરબા, ડાન્સ ચેમ્પિયનશીપ, મોટિવેશનલ સ્પીકર, આઝાદી સે અબતક, મેસેજ સોંગ, સરસ્વતી સન્માન, મ્યૂઝિકલ હાઉસી ગેમ, મહાપ્રસાદ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં (Ganesh Festival 2022) આવ્યું છે. આ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details