ગુજરાત

gujarat

દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પેશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ

By

Published : May 11, 2022, 7:14 PM IST

જ્યારે પણ એરપોર્ટની વાત આવે ત્યારે એરપોર્ટ પર સિક્યુરિટી ચેક (Airport Security Check) અને તેની પ્રક્રિયાની ચર્ચા થયા વગર ન રહે. પરંતુ, દિવ્યાંગોને એરપોર્ટ (Divyang Facilities) પર હલનચલન અંગે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ (Bhuj Airport) એમ્બુલિફ્ટની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેના થકી દિવ્યાંગોને એરપોર્ટ પર કોઈ પ્રકારની પરેશાની નહીં થાય.

દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ
દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ

ભૂજ: દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, વિજયવાડા, જોધપુર, હુબલી સહિત દેશના કુલ 14 એરપોર્ટ (Airport) પર એમ્બુલિફ્ટની સુવિધા પ્રાપ્ય બન્યા બાદ હવે ભૂજ એરપોર્ટ ઉપર પણ આ સેવા પ્રાપ્ય કરવામાં આવી છે. જે એરપોર્ટ પર એરોબ્રીજની સુવિધા ન હોય એવા એરપોર્ટ પર દિવ્યાંગ પ્રવાસીઓ માટે ખાસ પ્રકારની સુવિધા (Ambulift Service) તૈયાર કરવામાં આવી છે. એરોબ્રીજ પર દિવ્યાંગ માટે ચડવું ઊતરતવું મુશ્કેલ બની જાય છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India) તરફથી આ પ્રકારની ખાસ સુવિધા (Air port Service) આપવામાં આવી રહી છે. એમ્બુલિફ્ટમાં દિવ્યાંગ પ્રવાસીઓને સીધા જ ફ્લાઈટ મારફત લઈ જઈ શકાય છે.

દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ

આ પણ વાંચો:Udan Service Keshod: વર્ષો બાદ કેશોદ એરપોર્ટ ધમધમતુ થશે, કેશોદથી મુંબઈ ઉડાન સેવાનો પ્રારંભ

ભૂજ એરપોર્ટ પર સુવિધા:દિવ્યાંગ અને નિ: સહાય લોકોને એરપોર્ટ પર મદદ કરવા માટે ‘એમ્બુલિફ્ટ’ની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ભુજના એરપોર્ટ પર પણ 76 લાખના ખર્ચે ‘એમ્બુલિફ્ટ’ની સુવિધા આજથી શરુ કરવામાં આવી છે. એરપોર્ટ પર જે કોઈ દિવ્યાંગ લોકો આવે છે કે દર્દીઓ, સિનિયર સિટીઝન આવે છે. તેમને આ એમ્બુલિફ્ટની સુવિધાની મદદથી ફલાઇટની અંદર ડાયરેક્ટ લઈ જઈ શકાશે. આ ઉપરાંત ફલાઇટમાં આવતા દર્દીઓને પણ ફલાઇટથી સીધા જ હોસ્પિટલ લઈ જઈ શકાશે. હાલમાં ભુજથી મુંબઈ ફલાઇટ ચાલુ છે. ટૂંક સમયમાં ભુજથી અમદાવાદની ફલાઇટ શરૂ કરવામાં આવશે. એ સમયે લોકો આ સુવિધાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો:Rajkot International Airport: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ, ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે

ભારતમાં જ તૈયાર થયો અભિગમ: 76 લાખની ‘એમ્બુલિફ્ટ’ની ખાસિયતો એ છે કે, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત એમ્બુલિફ્ટ ભારતમાં જ સંપૂર્ણપણે તૈયાર કરાઈ છે. આ એક એમ્બુલિફ્ટની કિંમત રૂપિયા 76 લાખ થાય છે. તેમાં એટેન્ડેન્ટ્સ સાથે એક સાથે 6 વ્હિલચેર અને 2 સ્ટ્રેચર સમાવી શકાય છે. એમ્બુલિફ્ટ હિટીંગ વેન્ટીલેશન અને એર કન્ડીશનરથી સજ્જ છે. એરપોર્ટ ઑથોરીટી દ્વારા એરલાઈન્સને 100 રૂપિયાની ટોકન ચાર્જ પર લાભાર્થીઓ એમ્બુલિફ્ટની સેવાનો લાભ લઇ શકશે. જોકે, થોડા સમય પહેલા જ ગુજરાત રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરી હતી. દેશની કોઇ પણ હોસ્પિટલમાં સારવાર હેતુ ઇમરજન્સી સ્થિતિમાં જવુ પડે તે માટે એર એમ્બ્યુલન્સની શરૂઆત કરાઈ છે. દેશમાં સૌપ્રથમવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ ગુજરાતમાંથી શરૂ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details