સોમનાથ સોમનાથ પ્રવાસે આવતા પ્રવાસીઓ ગીરના સિંહને સ્કલ્પચરના (Sculpture of lion in Somnath ) માધ્યમથી નિહાળી અને જાણી શકે તે માટે ગુજરાત પર્યટન નિગમ (Gujarat tourism) દ્વારા સ્વામિનારાયણ સર્કલ નજીક સિંહ પરિવારનું સ્કલ્પચર ( sculpture of a lion family ) ઉભું કરવામાં આવ્યું છે. જેને જોઈને સોમનાથ આવતા પ્રવાસીઓ (Somnath News ) સિંહ પરિવારની સુંદર કલાકૃતિના (Lion Family Art Peace ) દર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો Sakkarbaug Zooમાં બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન
સિંહ પરિવાર સ્કલ્પચર ક્યાં જોઇ શકાશે સોમનાથ નજીક સ્વામિનારાયણ ગુરુકુળ સર્કલ પાસે ગુજરાત પર્યટન નિગમ અને ધ રંગ આઈડિયલ ( The Rang ideal ) દ્વારા ગિરનાર સિંહને બે નમૂનો પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આમ તો ગીર અને સિંહ એકબીજા સાથે વર્ષોથી જોડાયેલા છે. પરંતુ સોમનાથ આવતાં પ્રવાસીઓ કે જેમણે હજુ સુધી સિંહોના પ્રત્યક્ષ દર્શન નથી કર્યા તેવા તમામ પ્રવાસીઓને સિંહોના સ્કલ્પચર મારફતે દર્શન થાય તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા સિંહ પરિવારના સ્કલ્પચર બેસાડવાનું કામ રંગ આઈડિયલને સોંપવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ થતા આજે સ્વામિનારાયણ ગુરુકુળ સર્કલ પાસે સિંહ પરિવારનું સ્કલ્પચર લોકોના આકર્ષણનું કેન્દ્ર (Somnath News )બની રહ્યું છે.