ગુજરાત

gujarat

Corona Update in Gujarat : 24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ નોંધાયા,સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા

By

Published : Feb 7, 2022, 8:48 PM IST

રાજ્યમાં કોરોના 24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ(Corona Update in Gujarat) નોંધાયા છે. જેમાં કુલ 8,862 દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે ગયા છે. આજે 21 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Corona Update in Gujarat : 24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ નોંધાયા,સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા
Corona Update in Gujarat : 24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ નોંધાયા,સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ (Corona Update in Gujarat)તોડયો છે કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે( Corona cases in Gujarat )ફેબ્રુઆરીની 7 તારીખે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,909 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 8862 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 21 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 06 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 00 બરોડામાં 04, ગાંધીનગર 01, સુરતમાં 02 ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી માં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 928 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 90, બરોડા શહેરમાં 462 અને રાજકોટમાં 109 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 10,273 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃGujarat Corona Update: 24 કલાકમાં 3837 પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મૃત્યુ

આજે 2,70,890 નાગરિકોને રસીકરણ થયું

આજ રોજ 7 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,70,890 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 19,396 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 57,938 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 16,810 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 1,31,063 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 32,747 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,98,80,825 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 38,644

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 38,644 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 215 વેન્ટિલેટર પર અને 38,249 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,688 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,53,818 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 95.90 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃCorona Update Navsari: ધન્વંતરી અને સંજીવની રથની કામગીરી ફળી, કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો

ABOUT THE AUTHOR

...view details