ગુજરાત

gujarat

મોરબી પુલ હોનારતમાં 170ને બચાવી લેવાયા, કેટલા સારવાર હેઠળ અને સહાય ચૂકવણીની પ્રક્રિયા અંગે જાણકારી સામે આવી

By

Published : Nov 1, 2022, 5:46 PM IST

મોરબી પુલ હોનારત ( Morbi Bridge Collapse ) બાદની રાહત કામગીરીમાં 170ને બચાવી ( 170 Rescued in Morbi Bridge Collapse ) લેવાયાં છે. સહાય ચૂકવણીને લઇને સરકાર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી છે. આ દુર્ઘટનાને લઇને વિવિધ કામગીરીના આંકડાઓ તેમજ અન્ય વિગતો આપતિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ( Meeting held by Rajendra Trivedi )દ્વારા આપવામાં આવી હતી.

મોરબી પુલ હોનારતમાં 170ને બચાવી લેવાયા, કેટલા સારવાર હેઠળ અને સહાય ચૂકવણીની પ્રક્રિયા અંગે જાણકારી સામે આવી
મોરબી પુલ હોનારતમાં 170ને બચાવી લેવાયા, કેટલા સારવાર હેઠળ અને સહાય ચૂકવણીની પ્રક્રિયા અંગે જાણકારી સામે આવી

ગાંધીનગર 30 ઓક્ટોબર સાંજે 6.30 કલાકે મોરબીમાં મચ્છુ નદી પર કેબલ બ્રિજતૂટવાની દુર્ઘટના ( Morbi Bridge Collapse ) બની હતી. જેમાં ગણતરીના કલાકોમાં રાહત કામગીરી સ્થાનિક તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારે રાહત કામગીરીની સમીક્ષા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા હતાં. જેમાં આજે આપતિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક ( Meeting held by Rajendra Trivedi ) યોજાઈ હતી.

152 લોકોને આપવામાં આવી રજા રાજેન્દ્ર ત્રિવેદીએ બેઠક બાદ SEOC ખાતે ( Meeting held by Rajendra Trivedi ) માહિતી આપતા કહ્યું હતું કે પુલ તૂટવાની ઘટના ( Morbi Bridge Collapse ) બાદ વહીવટી તંત્ર, વિવિધ સુરક્ષા દળો તેમજ સ્થાનિકોની મદદથી 170 જેટલા નાગરિકોને બચાવી લેવામાં ( 170 Rescued in Morbi Bridge Collapse ) સફળતા મળી છે. જેમાંથી 152ને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. જયારે 17 નાગરિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનામાં અત્યાર સુધીમાં 135 ના દુ:ખદ અવસાન થયા છે. તે તમામની અંતિમવિધિ કરવામાં આવી છે. રાજય સરકારે પણ મૃતકો પ્રત્યે સંવેદના દાખવવા માટે આવતીકાલે 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરીને સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે તેમજ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાશે.

તાત્કાલિક સહાયની ચૂકવણી રાજેન્દ્ર ત્રિવેદીએ ( Meeting held by Rajendra Trivedi )વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં પુલ તૂટવાની દુ:ખદ ઘટના ( Morbi Bridge Collapse ) ના સમાચાર મળ્યા બાદ યુદ્ધના ધોરણે વહીવટી તંત્રને બચાવ કામગીરીની સૂચનાઓ આપીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel in Morbi ) બચાવ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપી બનતી તમામ મદદ કરી હતી. પીએમ મોદીએ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાથી ( Morbi Hanging Bridge Collapse ) વ્યથિત થઈને દુ:ખ વ્યક્ત કરીને બચાવ-રાહત કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી તંત્રને જરૂરી સૂચનાઓ આપી કેન્દ્રીય સુરક્ષા દળોને તાત્કાલિક મોરબી રવાના કર્યા હતા. ઘટનામાં અવસાન પામેલા નાગરિકોનાં પરિવારજનોને વડાપ્રધાનની કાર્યાલયમાંથી રૂ. 2 લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ એમ કુલ રૂ. 6 લાખની સહાય ચૂકવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા રૂ. 50,000 હજારની સહાય ચૂકવવામાં આવી છે.

ઘટનાની જાણકારી મળતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે ધસી આવ્યાં હતાં

પશ્વિમ બંગાળના વ્યક્તિના મૃતદેહને હવાઇમાર્ગે વતન મોકલાયોએક મૃતક હબીબઉલ એસ. કે. મહેબૂબ શેખ, જે પશ્વિમ બંગાળના રહેવાસી હતાં તેમના મૃતદેહને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 31 ઓક્ટોબરના રોજ હવાઇ માર્ગે મોકલી આપવામાં આવ્યો છે અને તે રાત્રે જ દફનવિધિ પૂર્ણ થઇ ચૂકી છે. સમગ્ર વહીવટીતંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi )તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel in Morbi ની સીધી દેખરેખ તથા સમીક્ષા હેઠળ કામગીરી કરી રહ્યું છે.

કેન્દ્રીય એંજન્સીઓ આવી મદદે રાજેન્દ્ર ત્રિવેદીએ ( Meeting held by Rajendra Trivedi )વધુમાં જણાવ્યું હતું કે એનડીઆરએફ, એસડીઆરએફ, સેના IAF, નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક વહીવટી ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ( Morbi Bridge Collapse ) હાથ ધરાયું હતું. જેના કારણે અત્યાર સુધી માત્ર બે લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહેલી છે. આ ઉપરાંત રાહત કામગીરી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાઓના અધિકારીઓની વધારાની કુલ 4 ટીમો મોરબી ખાતે નિયુક્ત કરવામાં આવી છે.

મોરબી પુલ હોનારતને લઇને મહત્ત્વની જાણકારીમોરબી પુલ હોનારતમાંકુલ 135નાં મોત અને 152ને સારવાર બાદ રજા અપાઇ છે. 17 લોકો સારવાર હેઠળ અને 02 વ્યક્તિ લાપતા છે. લાપતા વ્યક્તિઓને શોધવા સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. 134 મૃતકોના પરિવારને સરકાર દ્વારા ઘોષિત થયેલ તાત્કાલિક સહાય ચૂકવણી પૂર્ણ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના વતની મૃતકના વારસદારોની ખરાઇ પ્રક્રિયા પણ ચાલુ છે. દુર્ઘટનાના તમામ મૃતકોના મૃતદેહોની અંતિમવિધિ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ ( Meeting held by Rajendra Trivedi )કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details