દીવ- કોંગ્રેસમાં (Diu Congress)આજે થયેલા ભંગાણને કારણે દીવનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. દીવ નગરપાલિકા 13 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. ગત સામાન્ય ચૂંટણીમાં 13 પૈકી 10 સદસ્યો કોંગ્રેસના અને 03 સદસ્યો ભાજપના (Diu BJP)ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતાં. ત્યારે હવે ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસના 7 સદસ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. તેને લઈને દીવ નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ 10 થવા જઈ રહ્યું છે.
જાતિવાદને કારણે ભાજપમાં થયાં શામેલ? -પાછલા 25 વર્ષથી દીવ નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્ય તરીકે ચૂંટાઇ આવતા હરેશ પાચા કાપડીયાએ ભાજપમાં સામેલ થવાને લઈને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ, કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ અને સૌથી ચોંકાવનારું કારણ દીવમાં જાતિવાદને કારણે તેઓને ભાજપમાં સામેલ થવું પડ્યું છે એવો ચોંકાવનારી વાત કહી હતી. હરેશ પાંચા કાપડીયાનો આ સ્વીકાર (Diu BJP)ભાજપ રાજકારણમાં જાતિવાદના સમીકરણને પ્રોત્સાહન અને હવા આપી રહી છે તેવું સ્પષ્ટ જોવા મળ્યું છે. આગામી જૂન મહિનામાં સામાન્ય ચૂંટણીઓ છે ત્યારે ચૂંટણી પૂર્વેના એક મહિના અગાઉ સંઘ પ્રદેશ દીવ નગરપાલિકામાં ભાજપ જાતિવાદના આધારે પણ કોંગ્રેસમાં (Diu Congress) ભંગાણ પાડવામાં સફળ રહી છે. આ જાતિવાદનું રાજકારણ આગામી જૂન મહિનામાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં( Diu Municipality) કેવું પરિણામ આપે તે સમય બતાવશે.