- મુખ્યપ્રધાને હનુમાનજી મંદિરના કર્યા દર્શન
- સ્વામિનારાયણ મંદિર તેમજ પ્રમુખ સ્વામી સમાધિની લીધી મુલાકાત
- મુખ્યપ્રધાને હનુમાનજીની કથાનો લીધો લાભ
બોટાદ : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)પદ્દ સંભાળ્યા બાદ પહેલીવાર સાળંગપુર પધાર્યા હતા. આ દરમિયાન સાળંગપુર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ખાતે પ્રમુખ સ્વામી ની સમાધિના દર્શન કર્યા હતા. આ તકે સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા સ્વામીએ ફુલહાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાદ મુખ્યપ્રધાન સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple) ખાતે ગયા હતા, ત્યાં તેઓએ મંદિર ખાતે ચાલતા ધજા યજ્ઞમાં પોતાના હસ્તે યજ્ઞમાં આહુતિ આપી, આરતી ઉતારવાનો લાભ લીધો હતો.