ગુજરાત

gujarat

2016માં હત્યાના કેસમાં 8 શખ્સોને આજીવન સજા ફટકારી કોર્ટે

By

Published : Oct 24, 2022, 3:46 PM IST

ભાવનગરમાં 2016માં સામાન્ય બાબતે યુવાન (murder case in Bhavnagar) પર હુમલો થયો હતો. જેમાં હત્યા નીપજાવવામાં આવતા અને બનાવ બાદ નોંધાયેલી (Bhavnagar Crime News) પોલીસ ફરિયાદમાં આઠ શખ્સોને ઝડપી લીધા હતા. કોર્ટમાં કેસ ચાલી જતા આઠ શખ્સોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. (District and Sessions Court sentenced)

2016માં હત્યાના કેસમાં 8 શખ્સોને આજીવન સજા ફટકારી કોર્ટે
2016માં હત્યાના કેસમાં 8 શખ્સોને આજીવન સજા ફટકારી કોર્ટે

ભાવનગર જિલ્લાના ઉમરાળાના રંઘોળા ગામે 2016માં દાંડિયારાસ (murder case in Bhavnagar) જોતા સમયે સામે જોવા બાબતે કાતર કેમ મારે છો કહીને થયેલી બોલાચાલી હત્યામાં ફરી હતી. જે આઠ શખ્સોએ કરેલા હુમલામાં એક વ્યક્તિના મૃત્યુ બાદ (Killed in Dandiaras at Ranghola village) મામલો હત્યામાં પરિણમ્યો અને કોર્ટે કડક સજા ફટકારી છે. (Bhavnagar Crime News)

શું બન્યો બનાવ કોની થઈ હતી હત્યાભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શૈલેષ ભીખાભાઈ કુવાડીયાએ (27 વર્ષિય) ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં 14મી નવેમ્બર 2021ના રોજ (Ranghola village Attack youth) રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવિ શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા જોધા ભોકળવાએ દાંડિયારાસમાં સામુ જોઈને કાતર મારવા બાબતેથયેલી બોલાચાલીમાં પોતાના પર તેમજ વિપુલ કુવાડીયા (30 વર્ષિય) પર જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. બનાવમાં વિપુલભાઈનું સારવારમાં લઈ જતા સ્થાનિક ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

કોર્ટે ફટકારી 8 શખ્સોને સજા ઐતિહાસિકભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં (District and Sessions Court sentenced) ચાલી જતા સરકારી વકીલ ધ્રુવ મહેતાની દલીલો તેમજ લેખિત અને મૌખિક પૂરાવાઓઅને સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેય શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ દરેકને દંડ ફટકારવામાં આવ્યો હતો. (Killed in 2016 in Ranghola village)

ABOUT THE AUTHOR

...view details