ETV Bharat / state

બે હત્યાનો ભેદ ઉકેલાયો : પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરનારની દંપતિએ ભેગા મળી કરી હત્યા

author img

By

Published : Oct 20, 2022, 10:05 AM IST

બે હત્યાનો ભેદ ઉકેલાયો : પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરનારની દંપતિએ ભેગા મળી કરી હત્યા
બે હત્યાનો ભેદ ઉકેલાયો : પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરનારની દંપતિએ ભેગા મળી કરી હત્યા

રાધનપુરમાં પ્રેમ સંબંધ મામલે પતિ પત્નીએ (Murder case in Radhanpur) ભેગા મળી પ્રેમીની હત્યા કરી નાખી હતી. તો બીજી બાજુ ચાણસ્મામાં મજૂરી (Murder case in Chanasma) કામે બોલાવનારે જ યુવકની હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આ બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. (murder case in Patan)

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મધાપુરા તેમજ ચાણસ્માના ભાટવાસણા ગામના બે અલગ અલગ શખ્સોની હત્યાના બનાવો પ્રકાશમાં આવતા પોલીસે એક સપ્તાહમાં જ આ બંને હત્યાના ગુનાના ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મધાપુરા ગામે પ્રેમ સંબંધ મામલે (Murder case in Radhanpur) દંપતીએ ભેગા મળી પ્રૌઢની હત્યા કરી મૃતદેહને ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે બીજા બનાવમાં લાકડા (Murder case in Chanasma) કાપવા મજૂરી કામે ગયેલા યુવાનની હત્યાનો ભેદ પણ પોલીસે ઉકેલી આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે. (Double murder case in Patan)

પાટણ પોલીસે હત્યાના બે ગુનાનો ભેદ ઉકેલ્યો

શું સમગ્ર ઘટના મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના મધાપુરા રામનગર ગામના પ્રભુ નથુભાઈ ઠાકોર તારીખ 10 ઓક્ટોબર 2022ની મોડી રાત્રે ઘરેથી ગુમ થયા બાદ તેમની મૃતદેહ જશવંતપુરા જવાના રોડ પર પુલિયા નીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતો. જિલ્લા પોલીસ વડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ હારીજ PSI આર.કે પટેલે તપાસ હાથ ધરી મોબાઈલ નંબર તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા આ હત્યામાં ગામના જ મનુ કરશનભાઈ ઠાકોર તેમજ તેમની પત્ની રમીલા ઠાકોરના નામ ખુલ્યું હતું.(Murder case in Madhapura village of Radhanpur)

દુપટ્ટાથી ગળેફાંસો આપી હત્યા જેને લઈને પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન દંપત્તિએ જણાવ્યું હતું કે, મૃતક પ્રભુ નાથાભાઈને રમીલા ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતા. રમીલા આ પ્રેમ સંબંધ રાખવા માંગતી ન હતી. તેમ છતાં મૃતક પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી (Madhapura village couple murder case) ધાક ધમકી આપી અવારનવાર ઘરમાં ઘૂસી જતો હતો. આ ત્રાસથી કંટાળી ખેતરમાં મળવા બોલાવી દુપટ્ટાથી ગળેફાંસો આપી હત્યા કરી લીધી હતી. તેમજ મૃતદેહને રિક્ષામાં નાખી ફેંકી દીધો હતો. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ બાદ મૃતકના મોબાઈલ ફોનના અલગ અલગ પાર્ટ્સ, સીમકાર્ડ, રીક્ષા જપ્ત કરી દંપત્તિને કોર્ટમાં રજૂ કરતા 21 ઓક્ટબર 2022 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. (murder case in Patan)

મજૂરી કામે ગયા બાદ ગુમ આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ભાટવાસણા ગામના વિજયકુમાર ઉદાજી ઠાકોર ગત તારીખ 14 ઓક્ટોબર 2022ના રોજ બકાજી અમરતજી ઠાકોરને ત્યાં લાકડા કાપવા મજૂરી કામે ગયા બાદ ગુમ થયો હતો. જે નહીં મળી આવતા બકાજી સામે શંકા વ્યક્ત કરી ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 16 ઓક્ટોબર 2022ના રોજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી વિજયની મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. (Murder case in Bhatwasana village of Chansma)

ગળું દબાવી મોઢાના ભાગે મુક્કા માર્યા જે બકાજીની પોલીસે કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાના ગુનાની કબુલાત કરી હતી. જણાવ્યું હતું કે, છાપરે મજુરી કામે લઈ ગયા બાદ મોડે સુધી બકાજી છાપરે નહીં આવતા મૃતક વિજય તેને વારે ઘડીએ ફોન (Patan Police) કરતો હોય ગુસ્સે થઈ કેમ મને આટલા બધા ફોન કરે છે. તેમ કહી તેની છાતી ઉપર ચડી ગઈ ગળું દબાવી મોઢાના ભાગે મુક્કા મારી હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હતો. આ બનાવની વધુ તપાસ ચાણસ્મા PI હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. (Laborer killed in Bhatwasana)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.