ગુજરાત

gujarat

ભોપાલ જ નહીં ભાવનગરના દીકરી-દીકરાઓનો પણ હું મામાઃ શિવરાજસિંહ ચૌહાણ

By

Published : Nov 19, 2022, 12:12 PM IST

ભાવનગર પશ્ચિમ વિધાનસભા પર જીતુ વાઘાણીના પ્રચાર માટે મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan visit Bhavnagar) આવી પહોંચ્યા હતા. જ્યાં CM ચૌહાણે કહ્યું હતું કે, ભાવનગરના પણ દીકરી દીકરાનો મામા છું. તો બીજી તરફ જીતુ વાઘાણીએ મશીન ખોટકાઈ જાય એવી (Bhavnagar Jitu Vaghani sabha) દબાવીને સ્વીચ મારજો તેવું કહ્યું હતું. (Gujarat Assembly Election 2022)

જીતુ વાઘાણીના પ્રચાર માટે મધ્યપ્રદેશના CM ભાવનગરની મુલાકાતે
જીતુ વાઘાણીના પ્રચાર માટે મધ્યપ્રદેશના CM ભાવનગરની મુલાકાતે

ભાવનગર :ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં સ્ટાર પ્રચારકમાં મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ આવી (Shivraj Singh Chauhan visit Bhavnagar) પહોંચ્યા હતા. શિવરાજસિંહનું ભવ્ય સ્વાગત બાદ આપ અને કોંગ્રેસના બે નેતાઓને ભાજપના ખેસ પહેરાવી (Bhavnagar Jitu Vaghani sabha) આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ શિવરાજસિંહ ચૌહાણના વખાણ કર્યા હતા અને તેમની હાજરી સાથે પશ્ચિમ બેઠક (Jitu Vaghani seat) પરના પોતાના કાર્યો જણાવ્યા હતા. તો બીજી તરફ શિવરાજસિંહ ચૌહાણે રમૂજમાં પોતાનું ભાષણ વ્યક્ત કરીને રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા.

ભાવનગરની મુલાકાત પર મધ્યપ્રદેશના CMએ AAP અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

જીતુ વાઘાણીએ શું કહ્યુંપશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર જીતુ વાઘાણીએ પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને સૌની યોજના, ફલાય ઓવર, કૃષ્ણકુમારસિંહજી ને યાદ કરીને વડાપ્રધાનના કામો યાદ અપાવ્યા હતા. આ સાથે યુક્રેન યુદ્ધ પણ સામેલ કર્યું હતું. યુક્રેન યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીને કાઢવા બંને દેશોએ યુદ્ધ રોક્યાનું જણાવ્યું હતું. મારી વિનંતી છે 1 તારીખે ભાજપના મશીન ખોટકાંઈ જાય એવી દબાવીને સ્વીચ મારજો. માં ભારતીના કોન્ટ્રીબિશન કરવા માટે, માં ભારતી નહિ વિકાસની નવી ઊંચાઈ માટે વિકાસના જાતિવાદના જ્ઞાતિવાદ વિકાસ વિકાસ માત્ર સમગ્ર સમાજ ઈચ્છે છે. (MP CM visits Gujarat)

શિવરાજસિંહે રાહુલ ગાંધી, કેજરીવાલને કેવા ગણાવ્યાભાવનગર જીતુ વાઘણીની સભામાં વડાપ્રધાનની સ્ટાઇલમાં બોલ્યા હતા. ગુજરાતીમાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું ભોપાલની દીકરી દીકરાનો મામા છું. ભાવનગરના પણ દીકરી દીકરાનો મામા છું. શિવરાજસિંહ ચૌહાણે 1947માં ભારત તોડનાર અત્યારે ભારત જોડવા નીકળ્યા છે. કેજરીવાલ બબુલના ઝાડના કાંટા છે. શિવરાજસિંહે હાસ્યાસ્પદ રીતે પોતાનું ભાષણ આપીને કોંગ્રેસને કોસવાનું કામ કર્યું હતું. કેજરીવાલ ઠગ ગણાવ્યા હતા અને સુકેશ સાથેની મિલીભગત જણાવી હતી. આમ રાષ્ટ્રીય મુદ્દાઓ ભાષણમાં હાવી થયા હતા. સાવરકર મુદ્દે શિવરાજસિંહે કહ્યું કે, તમે સન્માન નથી કરી શકતા તો અપમાન ના કરવું જોઈએ. નેહરુએ દેશને એક જ વાત ભણાવી છે કે દેશને આઝાદ કોંગ્રેસે કરાવ્યો છે. ક્રાંતિકારીઓના વડાપ્રધાન સ્મારક બનાવી રહ્યા છે તેમને તે ખટકી રહ્યું છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details