ગુજરાત

gujarat

Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા

By

Published : Mar 4, 2023, 9:47 AM IST

ભાવનગરના કુમુદવાડીમાં એક યુવાન ત્રીજા માળેથી પટકાતા મૃત્યુ નિપજ્યું છે. બનાવ બાદ લોકોની ભીડ ઉમટી હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. બનાવ પાછળ અલગ અલગ તર્ક વિતર્ક ચાલવા લાગ્યા હતા.

Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા ? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો
Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા ? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો

કુમુદવાદી વિસ્તારમાં ત્રીજા માળેથી યુવાન પટકાતા મોત

ભાવનગર :શહેરમાં કુમદવાડી વિસ્તાર એક યુવાન અચાનક ધોળા દિવસે ત્રીજા માળેથી પટકાતા મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે, કુમદવાડી વિસ્તાર હીરાના કારખાનાઓથી ભરેલો અને રત્નકલાકારોની ભીડ હોય છે. હજારો લોકોથી ભરેલા વિસ્તારમાં એક અઘટિત બનેલી ઘટનાએ રત્નકલાકારોમાં ચર્ચા જગાવી હતી. ત્રીજા માળેથી નીચે પટકાયેલા યુવાનનું મૃત્યુ બાદ ચારેતરફ અલગ અલગ પ્રકારમાં તર્ક વિતર્કની વાતો થઈ રહી છે.

શું બન્યો બનાવ કુમુદવાડીમાં :ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં કુમુદવાડી વિસ્તાર રત્નકલાકારોથી ભરચક વિસ્તાર વચ્ચે અઘટિત ઘટના ઘટી હતી. કુમુદવાડી વિસ્તારમાં આવેલા કપીલેશ કોમ્પલેક્ષમાં એક યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ત્યારે અકસ્માતે યુવાન નીચે પટકાયો હતો કે આત્મહત્યા કરી લીધી તેનું કારણ અકબંધ રહ્યું હતું. જોકે સામે આવેલા દ્રશ્યોમાં લોહી પણ ત્રીજા માળે જોવા મળતું હતું. યુવાન નીચે પટકાતા આસપાસ રત્નકલાકારોના ટોળા એકત્રિત થયા હતા. બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા અને મૃતદેહને હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા

યુવાનના નીચે પટકાવા બાબતે અનેક તર્ક વિતર્કની વાતો :યુવાનના નીચે પટકાવાના બનાવમાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવાન હાદાનગર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતો સુનિલભાઈ રમેશભાઈ મકવાણા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ પાછળ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ યુવાને હાથમાં બ્લેડ મારીને ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાવને પગલે પ્રેમ પ્રકરણ પણ ચર્ચામાં રહ્યું હતું. જોકે સોશિયલ મીડિયામાં બનાવ વહેતો થયો હતો. વિડિયો પણ વાયરલ હોવાથી શહેરમાં ચર્ચા જાગી હતી.

આ પણ વાંચો :દારૂના નશામાં ધૂત યુવક આ રીતે નિચે પટકાયો, જૂઓ વીડિયો...

મૃતદેહ હોસ્પિટલ ખસેડાયા બાદ :ભાવનગર શહેરમાં બનેલા બનાવ બાદ મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે મોડે સુધી યુવાનને લઈને સર.ટી. હોસ્પિટલ કચેરી સિવાય અન્ય કોઈ સ્થળે મોડી રાત્રી સુધી નોંધ નહીં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવને લઈને આખરે શું કારણ હતું તે અકબંધ રહ્યું હતું. ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં શું બહાર આવશે તે જોવું રહેશે.

ABOUT THE AUTHOR

...view details