ગુજરાત

gujarat

ગોવા ભાજપના પ્રવક્તાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારના કારણે તૂટ્યો પૂલ

By

Published : Nov 2, 2022, 11:30 AM IST

Updated : Nov 2, 2022, 12:01 PM IST

મોરબીમાં બ્રિજ તૂટવાના કારણે જે દુર્ઘટના ઘટી (Morbi Bridge Collapse) છે. તે અંગે સરકારને બચાવવા માટે ભાજપના પ્રવક્તા આગળ આવી રહ્યા છે. ત્યારે હવે ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે (Savio Rodrigues BJP Spokesperson) તો આ અંગે સરકાર પર પ્રહાર કર્યા છે. સાથે જ તેમણે ભ્રષ્ટાચારના કારણે પૂલ તૂટ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

ગોવા ભાજપના પ્રવક્તાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારના કારણે તૂટ્યો પૂલ
ગોવા ભાજપના પ્રવક્તાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારના કારણે તૂટ્યો પૂલ

અમદાવાદમોરબીમાં ઝૂલતો પૂલ (Morbi Bridge Collapse) તૂટવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રવક્તાઓ (Savio Rodrigues BJP Spokesperson) રાજ્ય સરકારનો બચાવ કરવા આગળ આવી ગયા છે. તેવામાં હવે ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના કારણે જ મોરબીનો આ પૂલ તૂટી ગયો છે.

રવિવારે બની દુર્ઘટના રાજ્યમાં રવિવારે રાત્રે મોરબીનો પૂલ (Morbi Bridge Collapse) તૂટી જવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે ઘટનાના દોષીતો અને કારણ અંગે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. તેવામાં ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે (Savio Rodrigues BJP Spokesperson) ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની ઘટના (Morbi Bridge Collapse) ભયાનક છે. તેમાં અનેક ભૂલો છે. જો આપણે જવાબદારી ન લઈએ તો તેનો અર્થ એ થાય છે કે, આપણે આપણા લોકોની કાળજી લેતા જ નથી. એટલે આવા કમનસીબ અકસ્માતનું કારણ ભ્રષ્ટાચારનું મૂળ બની જાય છે.

ભાજપ પ્રવક્તાએ કર્યું ટ્વિટ ગોવા ભાજપના પ્રવક્તાએ (Savio Rodrigues BJP Spokesperson) કરેલા ટ્વિટ અંગે અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક યૂઝર્સે મોરબીની દુર્ઘટનાને ખૂબ (Morbi Bridge Collapse) જ દુઃખદ ગણાવી હતી. સાથે જ પૂલ પર આટલા લોકોને જવાની મંજૂરી કોણે આપી તે અંગે પ્રશ્ન ઊભો કર્યો હતો. મોરબી પૂલ તૂટવાના મામલે બે રાજ્યના પ્રવક્તાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક બાજુ ગુજરાત ભાજપના પ્રવક્તા સરકારનો બચાવ કરી રહ્યા છે તો બીજી ગોવાના ભાજપના પ્રવકતાએ ગુજરાત સરકાર પર માછલા ધોયા છે. ટ્વીટ કરીને તેમણે પોતાની જ સરકારને કઠેડા ઊભી કરી દીધી છે.

ભ્રષ્ટાચારને કારણે ભંગાણઃતેમનું એવું કહેવું છે કે, ભ્રષ્ટ્રાચારને કારણે આ પૂલ તૂટ્યો છે. તેમણે એવું કહ્યું કે, મોરબીની ઘટના ભયાનક છે અને ભ્રષ્ટાચારને કારણે પુલ તૂટી ગયો છે. આ ટ્વીટ પર અનેક એવા યુઝર્સે પોતાના વિચાર અનુસાર પ્રતિક્રિયા આપી દીધી છે.

Last Updated :Nov 2, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details