અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં જાહેર થાય (Gujarat Election announcement) તેવી શક્યતા છે. કારણ કે, 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી (statue of unity kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની (rashtriya ekta diwas) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. અહીં પરંપરા મુજબ પરેડ સાથે એકતા દિવસની (ekta diwas parade) ઉજવણી કરવામાં આવશે.
સરદાર જયંતિએ વિવિધ કાર્યક્રમ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાતમાં ત્રણ કાર્યક્રમ છે. જોકે, ચૂંટણીની જાહેરાત (Gujarat Election announcement) પહેલા વડાપ્રધાનના આ છેલ્લા કાર્યક્રમ ગણાશે. તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેવડિયા ખાતે (statue of unity kevadia) આઈએએસ પ્રોબેશનર્સને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે યોજાશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી બપોરે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે જાહેરસભાને સંબોધશે.