અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)એક દિવસમાં બે બ્રેઇન ડેડવ્યક્તિઓના અંગદાન (Organ donation of two brain dead persons)થયા છે. જેના થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. બે અંગદાતાઓમાંથી 20 વર્ષીય બ્રેઇનડેડ પુરનસિંહ પરમારના હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. રાજસ્થાનના પુરનસિંહ પરમારનું હ્યદય હવે જામનગરના 14 વર્ષીય બાળકમાં ઘબકશે.
બાળકમાં હ્યદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ -રીટ્રાઇવલ બાદ અંગદાનમાં મળેલ હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે 11 કિ.મી. દૂર સીમ્સ હોસ્પિટલમાં ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યું. સિમ્સના તબીબ ડૉ. ધીરેન શાહ અને તેમની ટીમ દ્વારા માત્ર 3 કલાકમાં 14 વર્ષીય બાળકમાં હ્યદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને બાળકને વર્ષોની પીડામાંથી ઉગારવામાં આવ્યો. પુરનસિંહને 13 મી માર્ચે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા.
20 વર્ષીય યુવકનું હ્યદય ધબકતું થયું -સિવિલ હોસ્પિટલ SOTTOની ટીમના(Team of Civil Hospital SOTTO)ડૉ. સંજય સોલંકી અને તેમની ટીમ દ્વારા પરિવારજનોની કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપવામાં આવતા અને અન્ય કિસ્સાઓ તેમના સમક્ષ દર્શાવાતા પરિવારે અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગોના રીટ્રાઇવલ માટે સિવિલના તબીબ ડૉ. નિલેશ અને ડૉ. પુંજીકાએ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. રીટ્રાઇવલ થી હ્યદય પ્રત્યારોપણની 12 થી 14 કલાકની ભારે જહેમત બાદ આખરે 14 વર્ષના બાળકની વર્ષોની પીડાનો અંત આવ્યો . હવે બાળકના શરીરમાં ખામી વાળુ નહીં પરંતુ 20 વર્ષીય યુવકનું હ્યદય ધબકતું થયું.