ગુજરાત

gujarat

Holi 2022: શા માટે સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે ? જાણો

By

Published : Mar 17, 2022, 6:37 PM IST

દેશમાં હોળી ઉજવણી કરવામાં આવી રહી છે. હોળી ફાગણ સુદ પૂનમના(Holi fagan sud poonam )દિવસે પ્રગટાવામાં આવે છે. ડૉ. હેમિલ લાઠીયા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે હોળી પ્રાગટય મુખ્ય આશય હોળાષ્ટક(Holi 2022)એટલે કે ભક્ત પ્રહલાદના જે નકારાત્મક દિવસ હતા. તે નાશ થાય અને સૃષ્ટિમાં અને લોકોના કાર્યોમાં સકારાત્મકતા આવે તેને માટે હોળી પ્રાગટય કરવામાં આવે છે.

Holi 2022: શા માટે સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે ? જાણો
Holi 2022: શા માટે સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે ? જાણો

અમદાવાદઃસમગ્ર દેશમાં હોળી ઉજવણી (Holi 2022)કરવામાં આવી રહી છે. હોળી પ્રાગટય કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોના મનમાં( purpose of Holi manifestation)નકારાત્મક વિચારોનો નાશ થાય અને હકારાત્મક વિચારોનો ઉદય થાય.

હોળી પ્રાગટય મુખ્ય આશય

હોળી પ્રાગટય મુખ્ય આશય -ડૉ. હેમિલ લાઠીયા ETV BHARAT સાથે હોળી મહાત્મ્ય વિશે વાત કરતા જણાવ્યું હતું કે હોળી પ્રાગટય મુખ્ય આશય હોળાષ્ટક એટલે કે ભક્ત પ્રહલાદના જે નકારાત્મક દિવસ હતા.તે નાશ થાય અને સૃષ્ટિમાં અને લોકોના કાર્યોમાં સકારાત્મકતા આવે તેને માટે હોળી પ્રાગટય કરવામાં આવે છે.

હોળી હંમેશા સંધ્યા સમયે જ પ્રગટાવી જોઈએ -હોળી ફાગણ સુદ પૂનમના દિવસે પ્રગટાવામાં આવે છે. પૂનમના દિવસે વિસ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.ખાસ કરીને વિસ્ટી આકાશ, પાતાળ કે પૃથ્વી પર છે તેનું ધ્યાન રાખીને જ પ્રગટાવામાં આવે છે. જો વિસ્ટી પૃથ્વી પર હોય તો તેની ખાસ ગણતરી કરી સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે. આ વખતે વિસ્ટી 13.30થી 25:13 સુધી પૃથ્વી પર વાસ કરશે. એટલે આ વર્ષે વિસ્ટી ગણતરી મુજબ હોળી પ્રગટાવાનો સમય સાંજે 7:40 પછીનો છે.

આ પણ વાંચોઃHoli Festival 2022 : હોળી અને ફુલડોલ ઉત્સવના કારણે દ્વારકાધીશના ક્યારે કરી શકશો દર્શન, જાણો

હોળીના તાપનું આયુર્વેદમાં મહત્વ -હોળી જયારે પ્રગટાવ્યા બાદ જે તાપ આવે છે તેનું અલગ જ મહત્વ રહેલું છે. હોળી તાપથી આજુબાજુમાં રહેલા નકારાત્મક વિચારો નાશ પામે છે અને હકારાત્મકતા જન્મે છે. હોળીના તાપનું આયુર્વેદમાં ખાસ મહત્વ છે. હોળીના તાપથી આપણા શરીરમાં જે વિટામણા રહેલી છે તે દૂર થાય છે.

હોળીના વરતારાથી આવનારું વર્ષ નક્કી થયા -હોળી વરતારો દેશના દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. હોળીનો વરતારો કઇ દિશામાં જાય છે. તેના ઉપરથી આવનારા વર્ષમાં વરસાદ, કુદરતી આફત, પાક કેવો ઉગશે, રોગચાળો કેવો હશે તે જાણી શકાય છે.
આ પણ વાંચોઃAhmedabad Kamnath Padyatri Sangh : કામનાથ સંઘ પદયાત્રાને 49 વર્ષ પૂર્ણ, કોરોના પ્રતિબંધો દૂર થતાં ઉત્સાહ

ABOUT THE AUTHOR

...view details