ગુજરાત

gujarat

IND vs ZIM: ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળી એન્ટ્રી અને કોણ થયું આઉટ...

By

Published : Jul 31, 2022, 2:02 PM IST

ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની (Team India) જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધવને વિન્ડીઝ સામેની વનડે શ્રેણીમાં પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી.

IND vs ZIM: ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળી એન્ટ્રી અને કોણ થયું આઉટ...
IND vs ZIM: ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળી એન્ટ્રી અને કોણ થયું આઉટ...

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની (Team India) જાહેરાત કરી છે. ફરી એકવાર વિરાટ કોહલીનું નામ ટીમમાં સામેલ નથી, જ્યારે નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહનું નામ પણ સામેલ નથી એટલે કે આ ત્રણેય દિગ્ગજોને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ શિખર ધવન ફરી એકવાર કેપ્ટન્સી કરતો જોવા મળશે. તેણે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે કેપ્ટનશિપ કરી હતી અને ટીમ ઈન્ડિયાએ એકતરફી 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

આ પણ વાંચો:મીરાંબાઈ ચાનું એ 49 કિલો કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો

વિરાટ કોહલીને અપાયો આરામ:આ પ્રવાસ માટે વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પસંદગીકારોએ તેને આરામ આપવાનું યોગ્ય માન્યું હતું. જો કે BCCI (Board of Control for Cricket in India) દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વિન્ડીઝ પ્રવાસમાં પણ કોહલીને વનડે અને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીનો ભાગ હતો, પરંતુ તે બેટથી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. વર્ષ 2019માં છેલ્લી સદી ફટકારનાર પૂર્વ કેપ્ટનના ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. વર્ષ 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તેને ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ. તે સૌપ્રથમ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો હતો. જો તે સારું પ્રદર્શન કરશે તો તેને ટીમમાં પાછો સામેલ કરવો જોઈએ. કેપ્ટન રોહિત શર્મા અને BCCIના વડા સૌરવ ગાંગુલીએ જોકે કોહલીનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો:CWG 2022માં ભારતને મળ્યું ચોથું મેડલ, વેઇટલિફ્ટર બિંદ્યારાની દેવીએ જીત્યો સિલ્વર

ઝિમ્બાબ્વે માટે આ શ્રેણી નિર્ણાયક રહેશે: આ મેચો ICC વન ડે સુપર લીગનો ભાગ હશે અને અનુક્રમે 18, 20 અને 22 ઓગસ્ટે રમાશે. આ તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વે માટે આ શ્રેણી નિર્ણાયક બની રહેશે કારણ કે, તેના પોઈન્ટ આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશનમાં ગણાશે. ભારતના પ્રવાસ પર, ઝિમ્બાબ્વે ક્રિકેટ (Zimbabwe Cricket) અધિકારીએ કહ્યું કે, અમે ભારતની યજમાની કરીને ખૂબ જ ખુશ છીએ. અમે સ્પર્ધાત્મક અને યાદગાર શ્રેણીની રાહ જોઈ રહ્યા છીએ.

ભારતની ટીમ:શિખર ધવન (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રખ્યાત કૃષ્ણા , મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.

ABOUT THE AUTHOR

...view details