ગુજરાત

gujarat

Israel Hamas War: UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલના આરોપોને ફગાવ્યા, જાણો શું કહ્યું

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 12:32 PM IST

UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલી રાજદ્વારીઓના દાવાને નકારી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી રાજદ્વારીએ સુરક્ષા પરિષદમાં એક નિવેદનમાં 7 ઓક્ટોબરના હમાસના હુમલાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો.

UN ચીફ એન્ટોનિયો ગુટેરેસ
UN ચીફ એન્ટોનિયો ગુટેરેસ

સંયુક્ત રાષ્ટ્ર: UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સુરક્ષા પરિષદમાં એક નિવેદનમાં ઇઝરાયેલી રાજદ્વારીઓના દાવાઓને રદિયો આપ્યો છે. જેમાં તેમના પર 7 ઓક્ટોબરના હમાસના હુમલાને સમર્થન આપવાનો આરોપ છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં વણસી રહેલી કટોકટી પર મંગળવારે સુરક્ષા પરિષદની ચર્ચાને સંબોધતા યુએનના વડાએ કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને કોઈ યોગ્ય ઠેરવી શકે નહીં.

UNના વડાને રાજીનામું આપવાની માંગ: મંગળવારે ગુટેરેસની બ્રીફિંગ પછી, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના સ્થાયી પ્રતિનિધિ ગિલાડ એર્ડને ટ્વિટ કર્યું કે ગુટેરેસનું ભાષણ હમાસના ક્રૂર હુમલાને યોગ્ય ઠેરવે છે, જેમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા. એર્ડને યુએનના વડાને રાજીનામું આપવાની માંગ કરી હતી અને બાદમાં કહ્યું હતું કે ઇઝરાયેલ યુએન અધિકારીઓ માટે વિઝા બંધ કરશે. ઇઝરાયેલના વિદેશ પ્રધાન એલી કોહેને પણ ગુટેરેસ પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. મંગળવારે યુએનના વડા સાથેની નિર્ધારિત દ્વિપક્ષીય બેઠક રદ કરી હતી.

બંધકોને મુક્ત કરવા અપીલ:ઉલ્લેખનીય છે કે, યુએન ચીફ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોના પરિવારોને મળ્યા હતા અને ગાઝાની અંદર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને પકડાયેલા તમામ લોકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની હાકલ કરી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર એક નિવેદનમાં બુધવારે સવારે સુરક્ષા પરિષદની બહાર પત્રકારોને ગુટેરેસે કહ્યું કે તેઓ તેમના કેટલાક નિવેદનોની ખોટી રજૂઆતથી ચોંકી ગયા છે. તેમણે પેલેસ્ટાઈનની ફરિયાદો વિશે વાત કરી હોવાનો સ્વીકાર કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે કાઉન્સિલમાં પણ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોની ફરિયાદો હમાસના ભયાનક હુમલાઓને યોગ્ય ઠેરવી શકે નહીં.

  1. Lewiston Maine Shootings : અમેરિકાના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર, 10થી વધુ લોકોના મોત
  2. Canada shooting many killed : કેનેડામાં અંધાધૂંધ ફાયરિંગ, બાળકો સહિત 5 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details