ગુજરાત

gujarat

3rd Day Of Russia Ukraine War : યુક્રેનની રાજધાની પર હુમલો, કિવ સહિત અનેક શહેરોની 'તબાહીગાથા'

By

Published : Feb 26, 2022, 9:41 AM IST

Updated : Feb 26, 2022, 11:10 AM IST

રશિયન (Russia Ukraine War) સૈનિકોએ શુક્રવારે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો શરૂ કર્યો હતો. સરકારી ઈમારતો નજીક ગોળીબાર અને વિસ્ફોટના અવાજો ગુંજી ઉઠ્યા (sounds of an explosion echoed) હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની સંભાવના વધી ગઈ છે, જ્યારે તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે.

3rd Day Of Russia Ukraine War : યુક્રેનની રાજધાની પર હુમલો, કિવ સહિત અનેક શહેરોની 'તબાહીગાથા'
3rd Day Of Russia Ukraine War : યુક્રેનની રાજધાની પર હુમલો, કિવ સહિત અનેક શહેરોની 'તબાહીગાથા'

કિવ:રશિયન (Russia Ukraine War) સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો શરૂ કર્યો હતો, ત્યારબાદ સરકારી ઇમારતોની નજીક ગોળીબાર અને વિસ્ફોટના અવાજો ગુંજી ઉઠ્યા (sounds of an explosion echoed) હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની શક્યતા વધી ગઈ છે. તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થયા છે. યુદ્ધમાં સેંકડો જાનહાનિના અહેવાલો વચ્ચે કિવમાં ઇમારતો, પુલો અને શાળાઓની સામે ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાઓ પણ બની છે.

બાયડનની ઓફરનો યુક્રેનના રાષ્ટ્રપતિનો ઇન્કાર

રશિયન સૈનિકો શનિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની તરફ ધસી આવ્યા હતા. આ દરમિયાન, રાષ્ટ્રપતિએ દેશને ઘેરાબંધી સામે મક્કમ રહેવા વિનંતી કરી હતી, જે તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે. તેમણે યુક્રેનથી બહાર જવાના અમેરિકા પ્રસ્તાવનો ઇનકાર કરતા કહ્યું: લડાઈ અહીં છે.

રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનની વર્તમાન સરકારને ઉથલાવવાનો કરી રહ્યા છે પ્રયાસ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) યુક્રેનની વર્તમાન સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) પશ્ચિમી સત્તાઓને રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા અને યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે ઝડપથી પગલાં લેવા વિનંતી કરી છે.

યુક્રેનનો કેટલો ભાગ રશિયાના કબજામાં છે ?

વિશ્વના નકશાને ફરીથી આકાર આપવા અને રશિયાના શીત યુદ્ધના પ્રભાવને પુનઃસ્થાપિત કરવા માટે તે પુતિનનું સૌથી મોટું પગલું છે. આ યુદ્ધમાં હજુએ સ્પષ્ટ નથી થયું કે, યુક્રેનનો કેટલો હિસ્સો હજુ પણ તેના કબજામાં છે અને કેટલો ભાગ રશિયાના કબજામાં છે. દરમિયાન, ક્રેમલિને કિવની વાટાઘાટોની ઓફર સ્વીકારી લીધી છે, પરંતુ એવું લાગે છે કે તે યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી તરફ નરમાશથી કરવામાં આવી રહ્યું છે, અને આ મામલાના રાજદ્વારી ઉકેલ માટે નહીં.

પશ્ચિમી દેશોના નેતાઓએ ઈમરજન્સી મીટિંગ બોલાવી

પશ્ચિમી દેશોના નેતાઓએ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિએ આવા હુમલાઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મદદની હાકલ કરી છે કારણ કે તેમને ડર છે કે રશિયા તેમની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે. યુક્રેનમાં મોટી જાનહાનિ થઈ શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:રશિયાએ UNSCમાં યુક્રેન પરના હુમલાની નિંદા કરતા ઠરાવને વીટો કર્યો - ભારત, ચીન, UAE નું નરોવા કુંજરોવા

પત્રકારોએ વિસ્ફોટના અવાજો સાંભળ્યા

રશિયાના આક્રમણના બીજા દિવસે યુક્રેનની રાજધાની પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યાં પત્રકારોએ વિસ્ફોટના અવાજો સાંભળ્યા હતા. યુક્રેન સામે મોટી લશ્કરી કાર્યવાહીની ઘોષણા કરતી વખતે, પુતિને આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોને બાજુએ રાખ્યા હતા અને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના પરિણામો તેમણે પહેલાં ક્યારેય જોયા ન હતા.

સેંકડો રશિયન સૈનિકો માર્યા ગયા

રશિયન સૈન્યએ કહ્યું કે, તેણે કિવની બહાર એક વ્યૂહાત્મક એરપોર્ટ અને પશ્ચિમમાં એક શહેરનો કબજો મેળવી લીધો છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ યુક્રેનિયન બાજુએ ઓછામાં ઓછા 137 જાનહાનિની ​​જાણ કરી હતી અને દાવો કર્યો હતો કે સેંકડો રશિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન અધિકારીઓએ કોઈ જાનહાનિના આંકડા જાહેર કર્યા નથી. હાલમાં મૃત્યુઆંકની ચકાસણી કરવી શક્ય નથી. UN અધિકારીઓએ જણાવ્યું હતું કે, 25 નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના ગોળીબાર અને હવાઈ હુમલામાં હતા. એવું માનવામાં આવે છે કે એક લાખ લોકોએ તેમના ઘર છોડી દીધા છે. એવી આશંકા છે કે યુદ્ધ આગળ વધતા આ સંખ્યા 40 લાખ સુધી પહોંચી શકે છે.

રશિયાએ યુક્રેન પર 200થી વધુ મિસાઈલો છોડી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનનું હવાઈ સંરક્ષણ નબળું પડી ગયું છે, જ્યારે રશિયાએ યુક્રેનની આસપાસ એકત્ર કરાયેલા સાધનો અને સૈનિકોનો ત્રીજો ભાગ યુક્રેનમાં પ્રવેશ કર્યો હતો. સત્તાવાર અનુમાન મુજબ રશિયાએ યુક્રેન પર 200થી વધુ મિસાઈલો છોડી છે. જેમાંથી કેટલીક રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, કિવ તરફ આગળ વધી રહેલા રશિયન સૈનિકોનો મોટો ભાગ હજુ પણ શહેરના કેન્દ્રથી 50 કિલોમીટરથી વધુ દૂર છે.

રશિયન રાષ્ટ્રપતિ યુક્રેન પર પોતાની પસંદગીની સરકાર થોપવા માંગે છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પશ્ચિમી સત્તાઓને રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા અને યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે ઝડપથી પગલાં લેવા વિનંતી કરી છે. ગુરુવારે રાત્રે યુરોપિયન નેતાઓ સાથે ફોન પર વાતચીતમાં તેણે પોતાનું ઠેકાણું ગુપ્ત રાખ્યું અને કહ્યું કે, તે હાલમાં રશિયન ટાર્ગેટ હેઠળ છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને કહ્યું છે કે, કિવ સંભવત ઘેરામાં છે. અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર પોતાની પસંદગીની સરકાર થોપવા માંગે છે.

ઝેલેન્સકીએ રશિયન સરકાર સાથે વાટાઘાટો માટે કરી છે હાકલ

ઝેલેન્સકીએ વૈશ્વિક નેતાઓને રશિયા સામે ભૂતકાળમાં લાદવામાં આવેલા પ્રતિબંધો કરતાં વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે. "જો તમે હમણાં અમને મદદ નહીં કરો અને જો તમે યુક્રેનને મજબૂત સહાય આપવામાં નિષ્ફળ થશો, તો આવતીકાલે યુદ્ધ તમારા દરવાજા પર ખટખટાવશે," તેમણે કહ્યું. ઝેલેન્સકીએ રશિયન સરકાર સાથે વાટાઘાટો માટે હાકલ કરી છે અને પશ્ચિમી સત્તાઓને યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે ઝડપથી કાર્ય કરવા હાકલ કરી છે.

અમને ખબર નથી કે શું કરવું અને થોડા દિવસોમાં શું થવાનું છે? : લ્યુસી વાશાકા

શહેરના કેન્દ્રમાં આવેલી હોટલના મહેમાનોને અસ્થાયી સલામત ભોંયરામાં જવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં ગાદલા અને પાણીની બોટલો હતી, કારણ કે શુક્રવારની શરૂઆતમાં કિવમાં સાયરન વાગ્યું હતું. આ સાથે સ્થાનિક યુનિવર્સિટીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. એક કાર્યકર્તા, લ્યુસી વાશાકાએ કહ્યું કે, અમે બધા ડરી ગયા છીએ અને ચિંતિત છીએ. અમને ખબર નથી કે શું કરવું અને થોડા દિવસોમાં શું થવાનું છે?

દેશનું ભવિષ્ય સંપૂર્ણપણે સેના, સુરક્ષા દળો, આપણા તમામ રક્ષકો પર નિર્ભર છે

ઝેલેન્સકીએ કહ્યું કે, દેશનું ભવિષ્ય સંપૂર્ણપણે આપણી સેના, સુરક્ષા દળો, આપણા તમામ રક્ષકો પર નિર્ભર છે. તેમણે એમ પણ કહ્યું કે દેશે મોસ્કોથી સાંભળ્યું છે કે તેઓ યુક્રેનની તટસ્થ સ્થિતિ વિશે વાત કરવા માંગે છે. ઝેલેન્સકીએ રશિયાની માંગનો ઉલ્લેખ કર્યો કે યુક્રેન નાટો જોડાણમાં જોડાવાનો તેનો ઈરાદો છોડી દે. કિવ પર રશિયન હુમલાના ડરથી હજારો લોકો રાત પડતાં જ ભૂગર્ભ બંકરો અને સબવે સ્ટેશનની અંદર ગયાn હતા.

આ પણ વાંચો:સેના પોતાના હાથમાં લે સતા, રશિયા નહીં કરે કબજો

ટેલિવિઝન સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી

ગુરુવારે સવારે એક ટેલિવિઝન સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી કે ડોનબાસ રિપબ્લિકના વડાની વિનંતીના જવાબમાં, તેમણે આઠ માટે યુક્રેનિયન શાસનના દુરુપયોગ અને નરસંહારનો ભોગ બનેલા લોકોની સુરક્ષા માટે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પુતિને કહ્યું કે રશિયન સૈન્ય કાર્યવાહીનો ઉદ્દેશ્ય યુક્રેનના ડિમિલિટરાઇઝેશનને સુનિશ્ચિત કરવાનો છે. પુતિને યુક્રેનિયન સૈનિકોને તાત્કાલિક તેમના હથિયારો નીચે મૂકવા અને ઘરે પાછા ફરવા વિનંતી કરી.

US પ્રમુખ જો બાઈડને નવા પ્રતિબંધોની જાહેરાત કરી

US પ્રમુખ જો બાઈડને નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે જે રશિયન બેંકો, શ્રીમંત લોકો, રાજ્ય-નિયંત્રિત કંપનીઓ અને ઉચ્ચ તકનીકી ક્ષેત્રોને નિશાન બનાવશે. તેમણે કહ્યું, પુતિને આ યુદ્ધ પસંદ કર્યું છે. બાઈડને એમ પણ કહ્યું કે વૈશ્વિક ઊર્જા બજારને અસર ન થાય તે માટે પગલાં લેવામાં આવ્યા છે. યુરોપ માટે રશિયન તેલ અને કુદરતી ગેસની નિકાસ મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે. બાઈડને કહ્યું કે જો પુતિન નાટો દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. જો તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પ્રતિબંધોની જાહેરાત કરી છે, અને કહ્યું છે કે તેનો હેતુ રશિયાને બ્રિટનના નાણાકીય બજારોમાંથી છોડાવવાનો છે. તમામ મોટી રશિયન બેંકોની સંપત્તિને ફ્રીઝ કરવા અને રશિયન કંપનીઓ અને ક્રેમલિનને બ્રિટિશ બજારોમાંથી ભંડોળ એકત્ર કરતા અટકાવવા માટે એક યોજના રજૂ કરવામાં આવી છે.

Last Updated :Feb 26, 2022, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details