ગુજરાત

gujarat

Javed Akhtar defamation case: કંગનાએ કોર્ટમાં તેની બહેનનું નિવેદન નોંધવાની અપીલ કરી

By

Published : Jul 30, 2022, 5:31 PM IST

બોલિવૂડની 'ધાકડ ગર્લ' કંગના રનૌતે અખ્તર જાવેદના માનહાનિ કેસમાં (Javed Akhtar defamation case) કોર્ટને તેની બહેન રંગોલીનું નિવેદન નોંધવા વિનંતી કરી છે.

Javed Akhtar defamation case: કંગનાએ કોર્ટમાં તેની બહેનનું નિવેદન નોંધવાની અપીલ કરી
Javed Akhtar defamation case: કંગનાએ કોર્ટમાં તેની બહેનનું નિવેદન નોંધવાની અપીલ કરી

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સિંગર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં (Javed Akhtar defamation case) મુંબઈની એક કોર્ટને તેની બહેન રંગોલી ચંદેલનું નિવેદન નોંધવા વિનંતી કરી છે. રણૌતે શુક્રવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાન (Metropolitan Magistrate RR Khan) સમક્ષ પોતાના વકીલ રિઝવાન સિદ્દીકી મારફતે અરજી દાખલ કરી છે. કોર્ટે આ મામલાની તારીખ 11 ઓગસ્ટ માટે મુકી છે.

આ પણ વાંચો:રાજકુમાર રાવનો આલીસાન એપાર્ટમેન્ટ, સ્વપ્નનું ઘર

તેમની વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો: ગયા મહિને, રણૌત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થઈ હતી અને આ કેસમાં પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો. જાવેદ અખ્તરે નવેમ્બર 2020 માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે રનૌતે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન તેમની વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા, જેણે કથિત રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. પોતાની ફરિયાદમાં અખ્તરે એવો પણ દાવો કર્યો છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાદ બોલિવૂડમાં હાજર રહેલા 'ધંધા'નો ઉલ્લેખ કરતી વખતે રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમનું નામ ખેંચ્યું હતું.

કંગના વિરુદ્ધ ભઠિંડામાં માનહાનિનો કેસ: તે જ સમયે, ગયા વર્ષે જાન્યુઆરીમાં પંજાબના ભટિંડામાં 'પંગા ગર્લ' પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેણે આ માનહાનિના કેસને ફગાવી દેવા માટે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કંગનાની અરજી પર ચર્ચા બાદ સોમવારે સુનાવણી 11 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વાસ્તવમાં, ખેડૂતોના આંદોલન દરમિયાન, કંગના રનૌતે ભઠિંડાની મોહિન્દર કૌરનો ફોટો પોસ્ટ કરતા કહ્યું હતું કે તેને 100 રૂપિયાના દૈનિક વેતન પર આંદોલનમાં લાવવામાં આવી હતી. કંગનાએ મહિન્દર કૌરને શાહીનબાગ ધરણા પ્રદર્શનની બિલ્કિસ બાનો તરીકે વર્ણવી હતી. પોસ્ટિંગ બાદ મોહિન્દર કૌરે કંગના વિરુદ્ધ ભઠિંડામાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો:જૂઓ એક દિવસમાં એક વિલન રિટર્ન્સે બોક્સ ઓફિસ પર કરી આટલી કમાણી

આંતરરાષ્ટ્રીય PRને શરમજનક રીતે હાઇજેક કર્યું: 'ધાકડ ગર્લ' કંગના રનૌત ખુલ્લેઆમ કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'આ એ જ દાદી છે જેમને ટાઈમ મેગેઝીને શક્તિશાળી ભારતીય મહિલા તરીકે વર્ણવી હતી. આ રૂ.100માં ઉપલબ્ધ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારતના આંતરરાષ્ટ્રીય PRને શરમજનક રીતે હાઇજેક કર્યું છે. જ્યારે કંગનાની આ ટ્વીટની ટીકા થઈ રહી હતી, ત્યારે તેણે આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details